ભારત અને યુરોપિયન યુનિયન (EU) મુક્ત વેપાર કરાર (FTA) માટે સપ્ટેમ્બરમાં તેમના આગામી રાઉન્ડની વાટાઘાટોમાં તેમની વાટાઘાટોને અંતિમ તબક્કામાં લાવવાનો પ્રયાસ કરશે. મુક્ત વેપાર કરાર પર ૧૩મો રાઉન્ડ ૮ સપ્ટેમ્બરથી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. વાટાઘાટકાર સ્તરે ઘણા મુદ્દાઓને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરાશે. દરેક ક્ષેત્રમાં એકરૂપતા લાવવા પ્રયાસો ચાલી રહ્યા છે. જ્યાં પણ અમે કોઈ નિર્ણય પર પહોંચી શકતા નથી, ત્યાં તેને રાજકીય દિશા માટે રજૂ કરાશે વાટાઘાટોના છેલ્લા રાઉન્ડમાં, બંને પક્ષોએ માલ અને સેવાઓના ઉદારીકરણ પર ઓફરોની આપ-લે કરી.
મુક્ત વેપાર કરારમાં ૨૩ પ્રકરણો અથવા નીતિ ક્ષેત્રો છે, જેમાંથી પાંચ જૂનમાં ૧૧મા રાઉન્ડ સુધી અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે. ૧૨મા રાઉન્ડમાં બાકીના પ્રકરણો પર ઘણા તફાવતો દૂર કરવામાં આવ્યા હતા. ૧૩મા રાઉન્ડની વાટાઘાટો પછી, યુરોપિયન યુનિયન ટ્રેડ કમિશનર ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે. યુકે સાથેનો કરાર ચાર દેશોના યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે કરવામાં આવ્યો છે અને ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે.

રાહત પેકેજ છતાં, BSNL, MTNL દબાણ હેઠળ
ભારત સંચાર નિગમ (BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ (સ્શન્)ને ૨૦૧૯થી સરકાર તરફથી મળેલા ૩.૨ લાખ કરોડ રૂપિયાથી વધુના નાણાકીય રાહત પેકેજથી આ કંપનીઓને દબાણ દૂર કરવામાં મદદ મળી નથી. નાણાકીય વર્ષ ૨૦૨૫માં તેમનો સંયુક્ત આવક બજાર હિસ્સો ઘટીને ૪ ટકા થઈ ગયો છે, જે નાણાકીય વર્ષ ૨૦૧૭ પછીના નવ વર્ષમાં સૌથી નીચો સ્તર છે. નાણાકીય વર્ષ ૨૦૧૭ માં BSNL/MTNLનો આવક હિસ્સો ૯ ટકા હતો, જે નાણાકીય વર્ષ ૨૦૧૯ માં રાહત પેકેજના અમલીકરણ સમયે ઘટીને ૬ ટકા થઈ ગયો હતો. સરકારે ૨૦૧૯માં રૂ. ૬૯,૦૦૦ કરોડ, ૨૦૨૨માં રૂ. ૧.૬૪ લાખ કરોડનું પુનર્જીવન પેકેજ, ૨૦૨૩માં રૂ. ૮૯,૦૦૦ કરોડના ૪G અને ૫G સ્પેક્ટ્રમની ફાળવણી અને ૨૦૨૫માં મૂડી ખર્ચ સહાય તરીકે રૂ. ૬,૯૮૨ કરોડનું વધારાના રોકાણ જેવી સહાય પૂરી પાડી હતી.


