Get The App

IGST ભરીને નિકાસ માટે પણ સેસનું રિફંડ મળવાપાત્ર

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
IGST ભરીને નિકાસ માટે પણ સેસનું રિફંડ મળવાપાત્ર 1 - image


- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ નિકાસ કરવા માટે બે પધ્ધતી આપી છે એક IGST ભર્યા વગર અને બીજી IGST ટેક્ષ ભરીને. સ્વાભાવિક છે કે નિકાસના લીધે સપ્લાયર/નિકાસકારને વેરાનું રિફંડ મળવાપાત્ર થાય. GST કાયદા હેઠળ નિકાસને ઝીરો રેટેડ સપ્લાય તરીકે ઓળખ આપી છે અને કલમ ૫૪ હેઠળ રિફંડ માટે જોગવાઈ કરવામાં આવી છે. 

આપણા દેશમાં સરકાર દ્વારા GST ની સાથે સાથે કોમ્પનસેશન સેસ પણ લાદવાનો કાયદો અમલમાં લાવેલ છે અને જે નિકાસકાર IGST ભર્યા વગર માલ નિકાસ કરતા હતા તેટલા નિકાસકારને જ આવા સેસનું રિફંડ આપતા અને મોટા ઉપાડે પરિપત્ર ક્રમાંક ૧૨૫/૪૪/૨૦૧૯ તથા ૪૫/૧૯/૨૦૧૮ જાહેર કર્યા હતા. હવે જે કિસ્સામાં ઝીરો રેટેડ સપ્લાય IGST ભરીને કરવામાં આવે તેવા નિકાસકારનો શુ ગુનો કે તેને આ સેસ ના રિફંડથી વંચીત રાખ્યો. તાજેતરમાં માન. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ વિષે ખૂબ જ અગત્યનો અને ઉમદા ચુકાદો આપ્યો છે પેટસન પેપર્સ પ્રા.લિ. વિ.યૂ.ઓ આઈ અને અન્ય ગુ્રપ મેટરમાં [SCA 26250/2022 તારીખ ૨૮.૩.૨૦૨૫ૃ જેના વિષે આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

અરજદારનો વ્યવસાય કેમીકલ્સ, પીગમેન્ટના ઉપ્તાદન અને તેની નિકાસનો છે. માલ ઉત્પાદન કરવા માટે કોલસાનો વપરાશ થાય જે માલ ઉપર કોમ્પનસેશન સેસ લાગે છે. નિકાસ કરતી વખતે LUT સિવાય IGST ભરીને નિકાસ કર્યો અને આવા નિકાસ કરેલ માલ ઉપર સેસ લાગતો નથી. અમુક માસના રિફંડની અરજી જે સેસ માટે કરવામાં આવી હતી તેનું રિફંડ ચૂકવી દીધેલ અને ત્યારબાદ ખાતાએ આ આદેશ સમક્ષ અપીલ કરી પોતાની તરફેણમાં આદેશ લીધો અને ચૂકવેલ રિફંડ પરત માંગવામાં આવ્યું. આનાથી નારાજ થઈને અરજદારે માન. ગુજરાત હાઈકોર્ટમા રિટ દાખલ કરી. ખાતા દ્વારા CBICના છે પરિપત્ર હેઠળ આશરો લેવામાં આવ્યો હતો.

અરજદારની રજૂઆત

અરજદાર દ્વારા ઠોસ દલીલ કરવામાં આવી કે ખાતા દ્વારા પરિપત્રનો અર્થઘટન અવળો કરીને ખોટી રીતે મળવાપાત્ર સેસનુ રિફંડ અટકાવી દીધું છે. પ્રસ્તુત વ્યવહારમાં ઝીરો રેટેડ સપ્લાય IGST ભરીને થયેલ છે માટે IGST કાયદાની કલમ ૧૬, CGST કાયદાની કલમ ૫૪ તથા સેસ કાયદાની કલમ ૧૧(૨) સાથે વાંચવી પડે જેમાં તેમ ફલીત થાય છે કે આવા કિસ્સામાં સેસ રિફંડ ઉપર કોઈ પ્રતિબંધ નથી. આમ રિફંડ સેસનું મળવાપાત્ર છે.

સરકારની દલીલ

સરકાર દ્વારા CBIC દ્વારા જાહેર કરેલ બે પરિપત્ર ક્રમાંક ૪૫/૧૯/૨૦૧૮ અને ૧૨૫/૪૪/૨૦૧૯ ઉપર આધાર રાખીને આદેશ યોગ્ય ઠરાવવા દલીલ કરી.

ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખાસ નોંધવામાં આવ્યું કે નિકાસ કરેલ માલ ઉપર સેસ લાગતો નથી. અધિકારી દ્વારા પરિપત્ર તથા IGST કાયદો ભGST કાયદાનો જોગવાઈનું અર્થઘટન કરવામાં ભૂલ કરી છે અને આવા સેસનું રિફંડ મળવાપાત્ર થાય તેમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું છે.

Tags :