સ્ટેવિયા હર્બલ સુગર વિશે વિસ્તૃત જાણકારી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
પેરૂગ્વેની ઉપજ જેવા સ્ટેવિયા રીબાઉદીન એ એક પ્રકારનો હર્બલ છોડ હોય છે. સ્ટેવિયાના છોડ ૫૦ થી ૭૦ સેન્ટીમીટર ઉંચા. બહુશાખી, બહુથડીયો વાળા હોય છે. પ્રાકૃતિક અવસ્થામાં આ છોડ ૧૦ થી ૪૦ સે.ગ્રેડ સુધીના તાપમાને સફળતાપૂર્વક ઉગી શકે છે. તેના મુખ્ય ઘટકમાં સ્ટીવીઓસાઈડ, રીબાઉદીસ, રીબાઉદી સાઈડીસી, ડુલકોસાઈડ આધારિત હોય છે. આ ઘટકો ઇન્સ્યુલીન બેલેન્સ કરવાની ક્ષમતા ધરાવે છે. તે કારણે મધુમેહ ડાયાબીટીસના દર્દીઓ માટે રામબાણ ઉપાય સાબીત થઈ શકે છે.
સ્ટેવિયાના પાનમાં સાકર કરતાં લગભગ ૨૫ થી ૩૦ ટકા અને સ્ટેવિયા એક્સ્ટ્રેક્ટ ૩૦૦ ગણું મીઠું હોય છે. ભારતમાં સ્ટેવિયાનું ઉત્પાદન કર્ણાટક, આંધ્ર, પંજાબ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વધારે પડતું થાય છે. સ્ટેવિયાનું મુખ્ય પાસું જે કેલેરી ફ્રી તથા સુગર ફ્રી પ્રકારનું હોય છે.
ગુજરાતનાં દરેક પ્રકારના ખોરાકમાં લોકો સાકરનું પ્રમાણ વધારે હોય છે. લોકોમાં મધુપ્રમેહના રોગો ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે. તેમાંયે ગુજરાતમાં આઈસ્ક્રીમ, મિઠાઈનું પ્રમાણ ખુબ જ ખવાતું હોવાના કારણે લોકો સ્થૂળ બની જાય છે. વધતી જતી સ્થૂળતાને કારણે અનેક રોગો ઘર કરી જાય છે. તેમાં સૌથી તકલીફદાયક રોગ ડાયાબીટીસ છે. તેના કારણે અસહનીય શારીરિક તથા માનસિક તકલીફ ભોગવતા હોય છે.
સ્ટેવિયા પાવડર બનાવવાની વિધિ : સ્ટેવિયાના છોડની બહુશાખી ડાળીઓને કાપી લેવામાં આવે છે. ત્યારબાદ તેના પત્તાને છૂટી, સૂકવી દેવામાં આવે છે. એટલે મિક્સચર મશીન દ્વારા ગ્રાઈન્ડ કરી લઈ પાવડર બનાવવામાં આવે છે તેને સ્ટેવિયા પાવડર કહેવામાં આવે છે.
સ્ટેવિયા પાવડરનો ઉપયોગ : ચ્હા, દૂધ, કોફી, આઈસ્ક્રીમ, શ્રીખંડ, દૂધપાક, બાસુંદી, જલેબી, ગુલાબજાંબુ, બિસ્કીટ, ચોકલેટ, કેક, પીપરરમેન્ટ, જામ, જેલી, સોસ, જ્યુસ, શરબત, મીઠા અથાણા, કોલ્ડ્રીંક્સ જેવી અનેક મીઠાશવાળી દરેક ચીજમાં સ્ટેવિયા પાવડર વાપરી શકાય છે. સ્ટેવિયા સેકરીનની ગરજ સારે છે. તેમજ સેકરીન કરતા સ્ટેવિયા વધારે સેફ છે.
સ્ટેવિયા હર્બલ સુગર વિશે જાણકારી
સ્ટેવિયા પાવડર બનાવવાની રીત : સ્ટેવિયા પાવડરને ડી.એમ.વોટરમાં ઉકાળી, ગાળી લઈ, પેક બોટલમાં ભરી ફ્રીજમાં રાખી શકાય છે. જ્યારે જરૂર પડે તે પ્રમાણે તેનો જ્યૂસ દરેક બનાવતી વસ્તુમાં વાપરી શકાય છે.
સ્ટેવિયાની ખેતી : ભારતીય કૃષિકરણ માટે સ્ટેવિયા એક નવા રોપા છે. સ્ટેવિયાની ખેતી વધારે ઠંડી તથા વધારે ગરમ જલવાયુમાં સફળ થતી નથી. પરંતુ તેની નવી પ્રજાતિ તથા નવી ટેકનીકમાં કરેલા સુધારા પ્રમાણે ૧૦ સે.ગ્રેડથી ૪૦ સે.ગ્રેડ તાપમાનમાં સફળતાપૂર્વક થઈ શકે છે.
સબસીડી : સ્ટેવિયાની ખેતી માટે નેશનલ મેડીશનલ બોર્ડ દીલ્હી સ્થિત ૩૦ ટકા જેટલી સબસીડી આપે છે.
નોંધ : FAO / WHO એક્સપર્ટ કમિટી ઓન ફુડ એડિટીવ (JECFA) તરીકે વિશ્વની અમુક કન્ટ્રીઝમાં માન્યતા પ્રાપ્ત કરેલ નથી. કમિટીના અભિપ્રાય પ્રમાણે સ્ટેવિયાનો વધારો પડતો ઉપયોગ કેન્સર નોતરી શકે છે.