Get The App

એવિયેશન હબનું સપનું ક્રેશ ટ્રેજેડી : ફારસ પહેલાં પ્રવાસીની સલામતી

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
એવિયેશન હબનું સપનું ક્રેશ ટ્રેજેડી : ફારસ પહેલાં પ્રવાસીની સલામતી 1 - image


- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- ભારતને વિશ્વનું એવિયેશન હબ બનાવવાની વાતો કરતાં પહેલાં પાયાની જરૂરીયાત પુરી કરવા પર ધ્યાન આપવું પડશે..

- એવિયેશન સાથે સંકળાયેલા રનવે પરના પક્ષીઓ, એવિયેશનના બેઝ નજીકની ઉંચી ઇમારતો દુર કરવા જેવા વિવાદો કોર્ટમાં પેન્ડીંગ છે. આવા વિવાદોનું તાત્કાલીક નિરાકરણ લાવવાના બદલે તેના કેસો કોર્ટમાં પડયા રહે છે

- અકાસા એરલાઇન્સ શરૂઆતમાં સરસ ચાલતી હતી પરંતુ ૨૦૨૩માં તેના ૪૩ જેટલા પાઇલોટોએ કોઇ પણ પ્રકારની એડવાન્સ નોટીસ વિના રાજીનામાં આપી દેતા એરલાઇન્સ ઠપ થઇ ગઇ હતી

- આગામી પાંચ વર્ષમાં ભારતમાં નવા ૫૦ એરપોર્ટ બની રહ્યા છે. હાઇ ફાઇ ટર્મીનલ પણ ઉભા થઇ રહ્યા છે પરંતુ એર પ્રવાસીની સલામતી અને જોખમ ભર્યા પ્રવાસ બાબતે કોઇ નક્કર પગલાં લેવાતા નથી

-  ભારતના એવિયેશન નિષ્ણાતોએ ત્રણ મુદ્દા પર ભાર મુક્યો છે. જે એમઆરઓ તરીકે ઓળખાય છે. એટલેકે મેન્ટેનન્સ,રીપેર અને ઓવરહાઉલ

વિશ્વમાં એવિયેશન હબ બનવાના ભારતના સપનાને ગર્ભમાંજ એર ઇન્ડિયાની ફ્લાઇટ ૧૭૧ એ ત્રાટકીને હત્યા કરી નાખી છે. ભારતને વિશ્વમાં એવિયેશન હબ બનાવવાના સપનાંને કન્સીવ કરતાં દશ વર્ષ લાગ્યા હતા પરંતુ માત્ર ૧૦ સેકન્ડમાં તે કન્સીવ કરેલાં સપનાનો ભૂક્કો બોલી ગયો હતો. ભારત ભલે હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું હોય અને દુનિયામાં એવિયેશન ક્ષેત્રે ડંકો વગાડવા મથતું હોય પરંતુ તે પાયાની જરૂરીયાતને સમજવાથી દુર રહે છે. 

૨૭૮ લોકોના મોત એ ભારતના ઉડ્ડયન ક્ષેત્રના માથે કાળી ટીલી સમાન છે. આ ધટના વિમાનમાં પ્રવાસ કરનારા કોઇ ભૂલી શકે એમ નથી. ૨૭૮ કુટુંબોના સપનાનેા કચ્ચરધાણ કરી નાખનારી ધટના બાદ હવે ભારતને વિશ્વનું હબ બનાવવાની વાતો કરતાં પહેલાં પાયાની જરૂરીયાત પુરી કરવા પર ધ્યાન આપવું પડશે અને તેમાં આમૂલ પરિવર્તન લાવવું પડશે. અમદાવાદ ખાતે ૧૨ જુુનની પ્લેનક્રેશની ઘટના ટ્રેજેડી અને  ફારસ સાથે સરખાવી શકાય. ૨૭૮ને મોતના મુખમાં ખેંચી જનાર આ ધટનામાં માત્ર એક પ્રવાસી બચી શક્યો હતો. રીપેરીંગ માટે પડી રહેલા વિમાનો, તેમના બગડેલા એન્જીનો વગેરે ભારતના અવિયેશન સેક્ટર માટે પડકાર સમાન છે. પ્રેટ એન્ડ વ્હાઇટીની એન્જીન ફેલ જતાં ઇન્ડિગોને ફટકો પડયો હતો. ત્યારબાદ ઇન્ડિગો સીએફએમ ( જનરલ ઇલેક્ટ્રીક અને સેસ્મા નામની કંપની) એન્જીનોનો ઉપયોગ કરતી થઇ હતી.

એવિયેશન ક્ષેત્રે ભારતને નડતો સૌથી મોટો પડકાર પાઇલોટની અછત, ઇન્ફ્રાસ્ટ્ક્ચરની અછત તેમજ એવીયેશન એન્જીન્યરોની અછત હોવાનું કહેવાય છે.

એ વાત પણ સાચી છેકે છેલ્લા પાંચ વર્ષમાં ભારતની એરલાઇન્સને સંડોવતી કોઇ મોટી ધટના બની નથી જ્યારે બીજી તરફ એર પ્રવાસીઓમાં લગભગ બમણો વધારો થયો છે. ૨૦૨૦માં દુબઇથી કોઝિકોડ જતું એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન દુર્ધટના ગ્રસ્ત બન્યું હતું. જોકે લંડન જતા એરિન્ડિયા વિમાન ૧૭૧ ના ક્રેશની ધટના એવિયેશનના ઇતિહાસમાં એક દુખદ ધટના તકીકે હંમેશા યાદ રહેશે. ઉડ્ડયન મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન રેડ્ડીએ સાઉથ ઇસ્ટ એેશિયાની પ્રધાન સ્તરની બેઠકમાં કહ્યું હતું કે ભારત વિશ્વમાં એવિયેશન હબ ઉભું કરવા માંગે છે.  એવીજ રીતે વીસ દિવસ અગાઉ વડાપ્રધાન મોદીએ પણ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ સમિટમાં બોલતા કહ્યું હતું કે એવિયેશન હબ બનવાનું સપનું સાકાર કરવાના પ્રયાસો શરૂ કરાયા છે. તેમણે મેક ઇન ઇન્ડિયાની સાથે ડિઝાઇન ઇન ઇન્ડિયા માટે પણ અનુરોધ કર્યો હતો.

વિશ્વની એવિયેશન કંપનીઓને તેમણે ભારતમાં એરક્રાફ્ટ ડિઝાઇન કરવા માટે કહીને ઉમેર્યું હતું કે ભારતમાં રોકાણમાટેની આસાન નિતીઓનો  ઉપયોગ કરવો જોઇએ. ભારતની ઓપન ઇન્વેસ્ટમેન્ટ નિતીના કારણે વિશ્વના રોકાણકારો ભારત તરફ વળી રહ્યા છે.

ભારતના એવિયેશન નિષ્ણાતોએ ત્રણ મુદ્દા પર ભાર મુક્યો છે. જે એમઆરઓ તરીકે ઓળખાય છે. એટલેકે મેન્ટેનન્સ,રીપેર અને ઓવરહાઉલ. ભારતમાં એવિયેશન ક્ષેત્રે ૧૦૦ ટકા એફડીઆઇ  છે. તેમજ જીએસટી દર પણ ઓછા છે.

આગામી પાંચ વર્ષમાં ભારતમાં નવા ૫૦ એરપોર્ટ બની રહ્યા છે. હાઇ ફાઇ ટર્મીનલ પણ ઉભા થઇ રહ્યા છે પરંતુ એર પ્રવાસીની સલામતી અને જોખમ ભર્યા પ્રવાસ બાબતે કોઇ નક્કર પગલાં લેવાતા નથી. જે ફ્લાઇટ એક મહિના પહેલાં કેન્સલ કરાઇ હતી તેની પાછળના કારણો પણ કંપની બતાવતી નથી અને તેમાં શું રીપેર કરાયું તે પણ બહુ રહસ્યમય છે એમ કહી શકાય. યુરોપીયન એરબસ એસોસીયેશન તરીકે ઓળખાતી એરબસ એસઇના જણાવ્યા અનુસાર એર પ્રવાસમાં સેફ્ટી ( સલામતીના પગલાં) પર ધ્યાન આપવું બહુ મહત્વનું છે. પેરિસ ખાતેની એક બેઠકમાં તેમણે કહ્યું હતું કે અગમચેતી તેમજ સલામતીને એટલા બધા પગલાં ભરીયે છીયે કે અકસ્માતને કોઇ ચાન્સ રહેતી નથી. એટલેજ જ્યારે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થાય તેવી ધટના માન્યામાં નથી આવતી.

જ્યારે પણ વિમાનઅકસ્માત થયા ત્યારે ત્યારે એન્જનની ઉણપો શોધીને તેમાં સુધારા કરાયા છે. દરેક વિમાન અકસ્માતે એવિયેશન સેક્ટરને નવા સુધારા કરવા પ્રેર્યા છે.

ગો ફર્સ્ટ એરલાઇન્સથી ઓળખાતી ગો એરલાઇન્સે નાદારી નોંધાવી છે. ૨૦૨૪માં તેના અડધો અડધ વિમાનોના ઉડવા પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. ઇન્ડિગોના ૭૦ જેટલા વિમાનોના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. માર્ચ ૨૦૨૫માં ભારતના કુલ કોમર્શીયલ વિમાનો પૈકી ૧૫૪ને પાર્કીંગમાં મુકી દેવાયા હતા. કેટલાક વિમાનો બળતણનું વધુ કન્ઝ્મ્પશન કરતા હતા માટે વિમાન કંપનીઓને ખોટ જતી હતી. એટલે કંપનીઆએેે પોતેજ આ વિમાનોને પાર્કીંગમાં મુકી દીધા હતા.

વિમાન કંપનીઓ તેના સ્ટાફને સતત મંદી તેમજ ખોટના આંકડા બતાવીને સ્ટાફને પૈસા ચૂકવતી નથી.  અકાશા એરલાઇન્સ શરૂઆતમાં સરસ ચાલતી હતી પરંતુ ૨૦૨૩માં તેના ૪૩ જેટલા પાઇલોટોએ કોઇ પણ પ્રકારની એડવાન્સ નોટીસ વિના રાજીનામાં આપી દેતા એરલાઇન્સ ઠપ થઇ ગઇ હતી. ત્યારે અકાશા અને એર ઇન્ડિયા સામસામે 

આવી ગયા હતા. અકાશાનો આક્ષેપ હતો કે ટાટાની હસ્તકની એરલાઇન્સે તેના પાઇલોટોને તોડયા છે

પાઇલોટની અછતના કારણે ઓગષ્ટ ૨૦૨૩માં અકાશાએ ૬૩૨ ફ્લાઇટ કેન્સલ કરવી પડી હતી. બીજા પાઇલોટ જતા ના રહે એટલે અકાશાએ તેમના પગારમાં ૬૦ ટકાનો વધારો આપી દીધો હતો. જેના કારણે કેપ્ટનનો પગાર મહિને ૪.૫ લાખ રૂપિયાનો થઇ ગયો હતો. ધીરે ધીરે એરલાઇન્સ મક્કમ બની હતી અને ડિસેમ્બર ૨૦૨૩થી ઇન્ટરનેશન ફ્લાઇટ શરૂ કરી હતી. એવિયેશન સાથે સંકળાયેલા રનવે પરના પક્ષીઓ, એવિયેશનના બેઝ નજીકની ઉંચી ઇમારતો દુર કરવા જેવા વિવાદો કોર્ટમાં પેન્ડીંગ છે. આવા વિવાદોનું તાત્કાલીક નિરાકરણ લાવવાના બદલે તેને કેસો કોર્ટમાં પડયા રહે છે. જ્યારે કોઇ વિમાન ઇમારતને ટકરાવવાની દુર્ઘટના બનશે ત્યારે સત્તાવાળાઓ કોનો વાંક છે તેવું શોધતા થઇ જવાના છે. અમદાવાદની દુર્ધટના માટે કોણ જવાબદાર છે તે આ તબક્કે શોધવું કે લખવું તે એરઇન્ડિયા માટે અન્યાય સમાન ગણાશે.

- તમામ એરલાઇન્સ સામે પેસેન્જરોએ કરેલી ફરિયાદની કેન્દ્ર તપાસ કરશે

- કેટલીક ફ્લાઇટમાં એ.સી નથી ચાલતા તો કેટલીક ફ્લાઇટમાં એટેન્ડન્ટ પેસેન્જરોને સાંભળતા નથી, જેવી કંપલેનોને કોઇ એરલાઇન્સ ગાંઠતી નથી

વિશ્વનું એવિયેશન હબ બનવાની હાથમાં આવેલી તક ગુમાવ્યા પછી હવે ઉડ્ડયન મંત્રાલય જાગ્યું છે. અમદાવાદમાં ક્રેશ થઇને ભુક્કો બની ગયેલા  એરઇન્ડિયાની છૈં-૧૭૧ ની દુર્ધટનાએ દરેકને ઉંધમાંથી જગાડયા છે. હવે ઉડ્ડયન મંત્રાલય સાથે સંકળાયેલાને  ખબર પડી છેકે વિમાન ક્ષેત્રે સંકળાયેલી નાનામાં નાની વિગતોને ધ્યાનમાં લેવી જોઇએ. મશીનનું ધ્યાન રાખતી કંપનીઓ કોની છે અને તેના પર કેટલો ભરોસો મુકી શકાય તે પણ ચકાસવું જરૂરી બની ગયું છે. ઇડ્ડયન મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન કે.આર નાયડુએ વિમાન દુર્ધટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટી રચી છે. જે દુર્ધટનાગ્રસ્ત વિમાનના એન્જીનની સામે ઉભા થયેલા ટેકનીકલ પ્રશ્નોની તપાસ કરશે અને ખુલાસા પણ કરશે.

ભવિષ્યમાં આવી કોઇ વિમાન હોનારત ના બને તેના માટે પણ વિશેષ સજેશનો માટેની કમિટી રચાઇ છે. ડ્રીમ લાઇનર માટે વ્હીસલ બ્લોઅરે ગયા વર્ષે વાંધા ઉઠાવ્યા હતા પરંતુ તે તરફ કોઇએ ધ્યાન નહોતું આપ્યું. હવે આવા વાંધા બાબતે પુરતું ધ્યાન આપવામાં આવશે. જે ઉચ્ચ સ્તરીય તપાસ સમિત રચાઇ છે તે ત્રણ મહિનામાં તેનો અહેવાલ આપશે. સરકારે તમામ બોઇંગ જેવાંકે ૭૮૭-૮ અને ૭૮૭-૯ જેમાં જીનેક્સના એન્જીનો છે તેમજ તમામ વાઇડ બોડી એરક્રાફ્ટના મેન્ટનન્સ પર નજર રાખવાની સૂચના અપાઇ છે.

કેટલીક ફ્લાઇટમાં એ.સી નથી ચાલતા તો કેટલીક ફ્લાઇટમાં એટેન્ડન્ટ પેસેન્જરોને સાંભળતા નથી, કેટલાકમાં ફૂડ ખરાબ હોય છે જેવી કંપલેનોને કોઇ એરલાઇન્સ ગાંઠતી નથી. હવે આવી  કંપલેનો પર કેન્દ્રનું   ઉડ્ડયન મંત્રાલય પણ નજર રાખશે અને તપાસ કરશે.

Tags :