મર્ચન્ટ એક્સપોર્ટરના વ્યવહારો IGST કાયદા મુજબ આમ તો ઝીરો રેટેડ ગણાય
- GSTનું A to Z - હર્ષ કિશોર
- GST ભીજજ અંગે ગુજરાત હાઇકોર્ટના મહત્વના ચૂકાદાની વિગતો
આપણે જાણીએ છીએ કે પેટ્સન પેપર્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયા એસસીએ નંબર 26250 of 2022 (lead matter) અને 20341 of 2022 તેમજ19279 of 2023 ના કેસમાં તા. ૨૮-૩-૨૦૨૫ના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટ આપવામાં આવેલ છે જેમાં મુખ્ય મુદ્દો વેરો ભરીને એક્સપોર્ટ કરેલ હોય અને ખરીદ બાજુએ ભરેલ સેસનું રિફંડ માંગ્યું હોય.
પેટ્સન પેપર્સના કેસમાં સરકાર તરફે થયેલ રજૂઆત ઃ સરકાર તરફે રજૂઆત કરવામાં આવી કે આ કેસમાં નિર્વિવાદ હકીકત છે કે કંપનીઓ દ્વારા આઇજીએસટી ચૂકવીને નિકાસ કરવામાં આવેલ અને તેનું તેમને રિફંડ ચૂકવવામાં આવેલ છે. આ સંજોગોમાં અધિકારીએ તા. ૧૮-૧૧-૨૦૧૯ના પરિપત્રના ૪૨મા ફકરા પર યોગ્ય રીતે જ આધાર લીધેલ છે કે જે મુજબ આઇજીએસટી ચૂકવીને નિકાસને ઝીરો રેટેડ સપ્લાય કરી શકાય. પરંતુ કોમ્પેનસેશન એક્ટ હેઠળની સેસનો આવા નિકાસ પરના જીએસટીને ચૂકવવા ઉપયોગ કરી શકાય નહીં. કારણ કે સેસની આઇટીસીનો ઉપયોગ આઉટપુટ ઉપર લાગતા સેસને ચૂકવવા જ કરી શકાય. સીબીઆઇસી દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર અધિકારીને બંધનકર્તા છે અને તે પરિપત્ર અનુસાર પીટીશનરોને સેસનું રિફંડ મળવા પાત્ર થતું નથી. પણ વપરાયેલ સેસનું રિફંડ ત્યારે જ મળી શકે જ્યારે નિકાસનો વ્યવહાર વેરો ચૂકવ્યા વગર કરવામાં આવેલ હોય. આ કેસમાં પીટીશનરોએ વેરો ચૂકવીને નિકાસનો વ્યવહાર કરેલ છે અને નહીં વપરાયેલ અને વણ વપરાયેલ સેસની આઇટીસીનું રિફંડ કંપનીઓને મળવા પાત્ર નથી. આમ, અધિકારીઓએ તારીખ ૩૦-૫-૨૦૧૮ના પરિપત્ર ક્રમાંક 45/19/2018 તેમજ 18-11-2019 ના પરિપત્ર ક્રમાંક 125/44/2019 નું યોગ્ય અર્થઘટન કરીને પીટીશનરોને રિફંડ મળવા પાત્ર નથી તેવો નિર્ણય કરેલ છે.
પેટ્સન પેપર્સ...નો નામદાર ગુજરાત હાઇકોર્ટનો ચૂકાદો : કોર્ટે પીટીશનર્સના કેસની હકીકતોની નોંધ લેવી કે તેઓએ સેસ ચૂકવીને કોલસાની ખરીદી કરી હતી. જે સેસની તેઓને ઇનપુટ ટેક્સ્ટ ક્રેડિ મળવા પાત્ર હતી. કોલસાનો ઉપયોગ સેસને પાત્ર ન હોય તેવા માલ (ડાઇઝ-કેમિકલ)ના ઉત્પાદનમાં કરીને ઉત્પાદિત માલની નિકાસ કરવામાં આવી હતી. નિકાસ આઇજીએસટી ચૂકવીને કરવામાં આવેલ અને આવા ચૂકવેલ IGST નું રિફંડ આપવામાં આવેલ હતું. પીટીશનરે કોલસાની ખરીદીને લગતી સેસની આઇટીસીનું રિફંડ માંગેલ હતું. જે નામંજૂર કરવામાં આવેલ હતું. GST કાયદાની કલમ ૫૪(૩), આઇજીએસટી કાયદાની કલમ ૧૬, સેસ કાયદાની કલમ ૧૧ ધ્યાન પર લીધી. કોર્ટે તારીખ ૩૦-૫-૨૦૧૮ના પરિપત્ર ક્રમાંક 45/19/2018 નો પાંચમો ફકરો તેમજ તારીખ ૧૮-૧૧-૨૦૧૯ના પરિપત્ર ક્રમાંક 125/44/2019 નો ૪૨મો ફકરો ધ્યાન પર લીધો. કોર્ટના મતે કોલસાની ખરીદી ઉપર ચૂકવેલ સેસનું ઉત્પાદિત માલની નિકાસ થતાં રિફંડ ન આપવામાં અધિકારીઓ કાયદાઓની ઉપરોક્ત જોગવાઈઓ જોતા પરિપત્રોનું ખોટું અર્થઘટન કરેલ છે. એ વાત સાચી છે કે પીટીશનરો દ્વારા નિકાસના વ્યવહાર પર આઇજીએસટી ચૂકવાયેલ હતી. પરંતુ માલની નિકાસ પર પીટીશનરો દ્વારા સેસ ચૂકવવામાં આવેલ નથી કારણ કે તે વ્યવહાર પર સેસ લાગતો ન હતો. આથી ખરીદી પર ચૂકવેલ સેસની ઇનપુટ ટેક્સ ક્રેડિટનું પીટીશનરોને રિફંડ મળવાપાત્ર છે.
અધિકારીઓ દ્વારા ઉપર જણાવેલ પરિપત્રો પર આધાર લેવામાં આવેલ છે. પરંતુ તે પરિપત્રોમાં આઇજીએસટી કાયદાની કલમ 16(2) નો ઉલ્લેખ છે કે જેમાં વેરો ચૂકવ્યા વગર એલ્યુટી કે બોન્ડ સામે થયેલ નિકાસના વ્યવહાર માટે રિફંડ આપવાની જોગવાઈ છે. તે પરિપત્રમાં વધુમાં એવી ચોખવટ કરવામાં આવેલ છે કે જ્યારે નોંધાયેલ વ્યક્તિ દ્વારા ઝીરો રેટેડ સપ્લાય વેરો ચૂકવીને કરવામાં આવેલ હોય ત્યારે સેસ કાયદાની કલમ 11(2) ના પરંતુ મુજબ સેસની ITC નો ઉપયોગ આવી ચૂકવણી કરવા કરી શકાય નહીં. પીટીશનરો દ્વારા સેસને પાત્ર ન હોય તેવા ઉત્પાદિત માલનો વેરો ચૂકવીને નિકાસ કરવામાં આવેલ છે અને તેઓએ કોલસાની ખરીદી ઉપર ચૂકવેલ સેસનો આવો વેરો ચૂકવવા ઉપયોગ કરેલ નથી. આથી કોર્ટે ઠરાવ્યું કે કોલસાની ખરીદી ઉપર ચૂકવેલ સેસની ITC નું રિફંડ પીટીશનરોને મળવાપાત્ર છે અને તેથી રિફંડની ચૂકવણીની પ્રક્રિયા કરવા અધિકારીઓને કોર્ટે હુકમ કરેલ છે.
અગત્યનો અન્ય એક કેસ : સોપારીવાલા એક્સપોર્ટ પ્રા.લી. વિરુદ્ધ જોઈન્ટ કમિશનર CGST-R/Special Civil Application No. 6701 of 2023 with R/Special Civil Application No. 7073 of 2023 With R/Special Civil Application No. 15708 of 2024- આદેશ તા. ૯ૃ-૫-૨૦૨૫ જેનો મુખ્ય મુદ્દો મર્ચન્ટ એક્સપોર્ટર ઉપર લગાવવામાં આવેલ સેસને લાગતો છે.
જ્યારે કોઈ ઉત્પાદકને બદલે ટ્રેડર એક્સપોર્ટ કરે અને મરચંટ એક્સપોર્ટર તરીકેની શરતો પૂરી કરે ત્યારે રિફંડની બિન જરૂરી કાર્યવાહી ઓછી કરવા તેમજ કેશ ફ્લો બ્લોક થતો અટકાવવા માટે આવા એક્સપોર્ટના વ્યવહારો ઉપર કેટલીક શરતોને આધીન માત્ર 0.1 ટકા જેટલો વેરો આકારવામાં આવે છે. વેરો શૂન્ય થઈ જતો હોઈ સ્વભાવિક છે કે કોઈ તેનો ખોટો લાભ ન લઈ જાય તે માટે આકરી શરતો અને checks and balance રાખવામાં આવેલ છે. જેથી દરેક વ્યવહાર વ્યવસ્થિત રીતે નોંધાય મુખ્ય શરતો ઃ
૧. ઉત્પાદક સપ્લાયર અને મરચંટ એક્સપોર્ટર બંને જીએસટી હેઠળ નોંધાયેલ હોવા જોઈએ.
૨. ઉત્પાદક સપ્લાયરે મર્ચન્ટ એક્સપોર્ટરને ટેક્સ ઇન્વોઇસથી માલ પૂરો પાડવાનો રહેશે.
૩. મરચંટ એક્સપોર્ટરે શિપિંગ બિલમાં સપ્લાયરનો જીએસટીટીન અને ટેક્સ ઇન્વાઇઝનો નંબર જણાવવાનો રહેશે.
૪. મરચંટ એક્સપોર્ટર, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અથવા ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા માન્ય કોમોડિટી બોર્ડમાં રજીસ્ટર થયેલ હોવા જોઈએ.
૫. મરચંટ એક્સપોર્ટરે નોંધાયેલ ઉત્પાદક સપ્લાયરને એક પરચેઝ ઓર્ડર આપવાનો રહેશે. આ પરચેઝ ઓર્ડરની એક નકલ ઉત્પાદક સપ્લાયરનું ક્ષેત્રાધિકાર ધરાવતા ટેક્સ ઓફિસરને પૂરી પાડવાની રહેશે.
૬. મર્ચન્ટ એક્સપોર્ટરે નિકાસ માટેનો માલ ઉત્પાદક સપ્લાયરને ત્યાંથી સીધો ઉપાડીને બંદર ઉપર કે આઇસીડી અથવા એરપોર્ટ અથવા નોંધાયેલ વેરહાઉસ ખાતે પહોંચાડવાનો રહેશે.
૭. માલની નિકાસ થયા બાદ મર્ચન્ટ એક્સપોર્ટરે ઉત્પાદક સપ્લાયરનો જીએસટીટીન અને ટેક્સ ઇન્વોઇસનો નંબર દર્શાવતી વિગતો વાળા શિપિંગ બિલ તથા એક્સપોર્ટ જનરલ મેનીફેસ્ટની નકલ ઉત્પાદક સપ્લાયરને તેમજ ક્ષેત્રાધિકાર ધરાવતા ટેક્સ ઓફિસરને પૂરી પાડવાની રહેશે.
૮. ઉત્પાદક સપ્લાયરે ટેક્સ ઇન્વોઇસમાં ૦.૫ ટકા સીજીએસટી અને ૦.૫ ટકા કે ૦.૧૦ ટકા IGST લેવાનો રહેશે.
૯. મર્ચન્ટ એક્સપોર્ટરે આવી રીતે ઉત્પાદક સપ્લાયર પાસેથી ખરીદેલ માલ ટેક્સ ઇન્વોઇસ ઇશ્યુ થયેથી ૯૦ દિવસની અંદરની વિકાસ કરવાનો રહેશે. આ શરતનો ભંગ થયેથી લાગુ પડતા પુરા દરે વેરો તેમજ વ્યાજ પણ લગાડવામાં આવશે.
૧૦. મરચંટ એક્સપોર્ટરને ૦.૧ % ની આઇટીસી મળવાપાત્ર છે તેમજ GST ના નિયમ 89(48) મુજબ રિફંડ પણ મળી શકે છે.
આ કેસમાં મરચંટ એક્સપોર્ટર ઉપર બ્રાન્ડેડ ટોબેકો પ્રોડક્ટ ઉપર ૧૬૦ ટકા જેટલી કોમ્પેન્શન સેસ લગાવવામાં આવેલ હતી. નામદાર કોર્ટે જણાવ્યું કે મર્ચન્ટ એક્સપોર્ટરના વ્યવહારો આઇજીએસટી કાયદા મુજબ આમ તો ઝીરો રેટેડ ગણાય છે. હવે પુરા દરે કંપેન્શન સેસ લગાડવાથી તેના પરિણામે રેવન્યુ ન્યૂટલને લગતા ઇસ્યુ ઉપસ્થિત થાય છે. તેથી હાલ અમો આદેશ સ્થિગત રાખીએ છીએ અને જીએસટી કાઉન્સિલને આવા કેસોમાં જીએસટી અને આઇજીએસટીની વેરા મુક્તિને સમકક્ષ કોમ્પેન્શન સેસને પણ વેરા મુક્ત કરવા અને વર્કિંગ કેપિટલનું બ્લોકેજ અટકાવવા તેથી તેમજ વિસંગતતા અટકાવવા માટે યોગ્ય કરવા જણાવીએ છીએ.
લાગુ પડતા જાહેરનામાં અને અન્ય સંદર્ભ : Notification No. 40/2017-CT (Rate), 412017-IT (Rate) and 40/2017-UTT (Rate) all dated 23-10-2017, CBI&C Circular No. 37/11/2018-GST, dated 15-3-2018-ITC available to Merchant Exporter (SI. No. 13) FAQ on GST CBI&C on 15-12-2018-Chapter 14. Q. 78 onward CBI&C circular No. 94/13/2019-GST dated 28-3-2019-Export Refund Process.