GST કાયદા હેઠળ ધરપકડની સૂચનામાં સુધારો
- વેચાણવેરો - સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ કલમ ૬૯ હેઠળ જેલમાં પૂરવાની સત્તા બાબતે જોગવાઈ કરવામાં આવી છે. કલમ ૧૩૨ હેઠળના ગૂના માટે ખાતાના અધિકારીઓને ધરપકડ કરવાની સત્તા આપવામાં આવી છે. બેફામ આ સત્તાનો વપરાશ થાય તે અનિવાર્ય છે. વધુમાં ધરપકડની જોગવાઈ અને કાર્યવાહી હાથ ધરવા માટે ક્રિમિનલ પ્રોસિજર કોડ ૧૯૭૩ની જોગવાઈનું પાલન કરવાનું થાય.
કલમ 132
CGST કાયદાની કલમ ૧૩૨ હેઠળ વિશિષ્ટ ગુનાઓ માટે સજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. કલમ ૧૩૨ હેઠળ અમુક ગુનાઓ માટે બેલ મળે એમ નથી. કલમ ૧૩૨(૧) હેઠળ નીચે મુજબ ગુનાઓ માટે જામીન મળશે નહીં.
(૧) વેરાની ચોરી કરવાના ઈરાદાથી કોઈ માલ અથવા સેવા અથવા બન્નેનો સપ્લાય બીલ વગર કરવામાં આવે.
(૨) કોઈ પણ સપ્લાય કર્યા વગર ઈનવોઈસ અથવા બીલ આપવામાં આવે GST કાયદાનો ઉલ્લંઘન કરે જેથી ખોટી વેરાશાખ એવલ કરવામાં આવે અથવા ખોટી વેરાશાખ વાપરવામાં આવે અથવા વેરાનું રિફંડ થાય.
(૩) કોઈ બોગસ બીલની વેરાશાખ લીધી હોય એટલે કે માલ અથવા વેરાશાખ લીધી હોય અથવા તો ફ્રોડ કરી ખોટી રીતે વેરાશાખ બીલ વગર લીધી હોય.
(૪) કોઈ વેરો વસુલ કર્યા બાદ તે રકમ સરકારની તીજોરીમાં ૩ માસ સુધી જમા કરાવવામાં ન આવે તેની નિયમ પ્રમાણે આવતી મુદત, તો આવા તમામ ગુનાઓ માટે જામીન મળશે નહીં.
નીચેના ગુનાઓ માટે જામીન મળશે :-
(૧) ખોટા દસ્તાવેજ બનાવે અથવા ખોટા ચોપડા રજૂ કરે અથવા ખોટા નાણાકિય દસ્તાવેજ રજૂ કરે અથવા ખોટી માહિતી રજૂ કરે ટેક્ષની ચોરી કરવાના આશયથી.
(૨) વેરાનું ઈવેઝન કરે અથવા ફ્રોડ કરી રિફંડ પ્રાપ્ત કરે જે અગાઉના ક્રમાંક (૧) થી (૪) નોન-બે લેબલ ગુના સિવાયના કિસ્સામાં ઘટના થઈ હોય.
(૩) GST કાયદા હેઠળ અથવા તેના નિયમ હેઠળ જે માલ જપ્તીતીને પાત્ર છે તેનો કબજો મેળવે છે, અથવા આવા માલના કોઈ પણ પ્રકરના પરિવહન, અથવા આવા માલની કોઈ પણ હેરફેર, સાચવણી, છુપાવવા, સપ્લાય કરવા અથવા ખરીદી કરવામાં અથવા આવા માલ સાથે કોઈ પણ વ્યવહાર કરવામાં આવે.
કલમ 69
કલમ ૧૩૨ હેઠળ જ્યારે નોન બે લેબલ ગુનાઓ આચરવામાં આવે અને કલમ ૧૩૨(૧) (i)/(ii) અથવા કલમ ૧૩૨(૨) હેઠળ સજાનો પાત્ર છે એવો મંતવ્ય/રિઝન ટૂ બીલીવ હોય તે સમયે કમિશ્નર ધરપકડ કરવાની સૂચનાનો આદેશ કરી શકે. કલમ ૬૯(૨) હેઠળ અધિકારીને ધરપકડ કરવાના કારણો વ્યક્તિને આપવા ફરજીયાત છે.
તારીખ ૧૩.૧.૨૫ની સૂચનામાં સુધારો
સરકારની GST ઈન્વેસ્ટીગેશન વીંગ ધ્વારા તારીખ ૧૭.૮.૨૦૨૨ના રોજ સૂચના નં ૦૨/૨૦૨૨-૨૩ દ્વારા ધરપકડ કરવા માટે પધ્ધતી સૂચવી હતી જે ખાતાના અધિકારીઓ દ્વારા પાલન કરવાનું થાય. તાજેતરમાં માન.દિલ્હી હાઈકોર્ટનો ચૂકાદો ક્ષીતીજ ઘીલ દીયલ વિ. ડિરેક્ટર ઓફ ઈન્ટેલીજન્સ,દિલ્હી W.P. (CRL) No.3770/2024] આવ્યો જે તારીખ ૧૩.૧.૨૫ના રોજ સૂચનામાં ફેરફાર તેમ કર્યો કે હવે ગ્રાઉન્ડ ઓફ એરેસ્ટ હોવા જોઈએ જે ગુનો આચરનારને લેખીતમાં જાણ કરી અને તેની સહી લેવાની થાય.