Get The App

છઠ્ઠીએ ગઢડામાં યોજાશે સ્વરોજગાર શિબિર તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

Updated: Jan 30th, 2019

GS TEAM

Google News
Google News
છઠ્ઠીએ ગઢડામાં યોજાશે સ્વરોજગાર શિબિર તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર 1 - image

બોટાદ, તા. 30 જાન્યુઆરી 2019, બુધવાર

સ્વરોજગાર વાંચ્છુકોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા તથા સરકારના વિવિધ વિભાગ-ખાતા દ્વારા સ્વરોજગાર માટે પ્રાપ્ય સહાય-લોનની યોજનાઓ વિશે માહિતી મળી રહે તેવા હેતુસર છઠ્ઠી ફેબુ્રઆરીના સવારે ૧૦.૩૦ કલાકે જે.સી. કુમારપ્પા મહાવિદ્યાલય-ગઢડા ખાતે સ્વરોજગાર શિબિર તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ તથા કર્મચારી ચયન આયોગ દ્વારા પ્રકાશિત થનાર જાહેરાત અન્વયે વિવિધ સંવર્ગની જગ્યાઓ પર ભરતી બાબતની માહિતી અને માર્ગદર્શન તેમજ સ્વરોજગાર માટે કાર્ય કરતી સરકારની વિવિધ કચેરી અને બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહી સ્વરોજગારલક્ષી માર્ગદર્શન પુરૂ પાડશે. રસ ધરાવતા રોજગાર વાંચ્છુકોએ સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તથા વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદનો સંપર્ક કરવા જણાવાયું છે.
Tags :