Get The App

કોરોના પોઝીટીવ વ્યક્તિના નામ જાહેર નહીં કરાતા હાઈકોર્ટમાં પીઆઈએલ

- 12 જુલાઈથી વહીવટી તંત્રની મનમાની સામે રોષ

- ઝેટ ગતિએ આગળ વધી રહેલ સંક્રમણથી બચવા પોઝીટીવ કેસોની માહિતીથી લોકો જાગૃતી કેળવી શકે છે

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
કોરોના પોઝીટીવ વ્યક્તિના નામ જાહેર નહીં કરાતા હાઈકોર્ટમાં પીઆઈએલ 1 - image


ભાવનગર, તા. 31 જુલાઈ 2020, શુક્રવાર

ગઈ તા. ૧૧ જુલાઈ સુધી રોજબરોજ કોરોના પોઝીટીવ વ્યક્તિઓનાં નામ અને મૃતકોની યાદી સ્થાનિક સત્તામંડળ દ્વારા જાહેર કરવામાં આવતી હતી. પરંતુ અચાનક જ કોઈ કારણોસર તા. ૧૨ જુલાઈથી આ સીસ્ટમ બંધ કરવામાં આવી હતી. પરિણામે ભાવેણાની પ્રજામાં વ્યાપક રોષ વ્યાપ્યો હતો. અનેક રજુઆત બાદ પણ કાંઈ જ નિરાકરણ ન આવતા અંતે એડવોકેટ સંદીપ મુંજ્યાસર દ્વારા અરજદારો એવાં ભીખાભાઈ ડાહ્યાભાઈ ઝાઝડિયા અને કિરણભાઈ મણીભાઈ ગાંધી વતી ભાવનગરની જાહેર જનતાનાં વિશાળ હિતમાં એક પી.આઈ.એલ. નામદાર ગુજરાત હાઈકોર્ટમાંફાઈલ કરવામાં આવી છે અને તેમાં રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કમિશનર અને ભાવનગર જિલ્લા કલેકટરને સામાવાળા પક્ષકારો તરીકે જોડવામાં આવ્યા છે.

આ પી.આઈ.એલ.માં અરજદારો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ પાસે માંગવામાં આવેલી મુખ્ય દાદ એ છે કે કોરોના પોઝીટીવ વ્યક્તિઓનાં નામ, ઉંમર અને એડ્રેસ જાહેર કરવાની અગાઉની જે સીસ્ટમ હતી તે તાત્કાલિક ધોરણે પુનઃ ચાલુ કરવામાં આવે તેવો આદેશ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા કલેકટરને કરવામાં આવની દાદ માંગવામાં આવી છે. અરજદારોની આ પી.આઈ.એલ. (પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન)માં મુખ્ય રજુઆતો એવી છે કે રાજ્ય સરકાર દ્વારા માર્ચ ૨૦૨૦માં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે પણ વ્યક્તિ કોરોના પોઝીટીવ માલુમ પડશે એનાં નામ જાહેર કરવામાં આવશે કે જેથી એનાં સંપર્કમાં આવેલી અન્ય વ્યક્તિઓ પોતાનો ટેસ્ટ કરાવી શકે. આ બાબતની જાહેરાત ખુદ રાજ્યનાં માનનીય નાયબ મુત્મંત્રી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં મંત્રી અવા નિતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવે હતી. જેનાં અનુસંધાને ભાવનગરમાં પણ કોરોના પોઝીટીવ વ્યક્તિઓનાં નામની યાદી રોજબરોજ જાહેર કરવામાં આવતી હતી. આ વ્યવસ્થા તા. ૧૧ જુલાઈ સુધી ચાલી પછી અચાનક જ તા. ૧૨ જુલાઈથી કોઈ કારણોસર બંધ કરવામાં આવી હતી જેથી પ્રજામાં રોષ અને કચવાટ વ્યાપ્યો હતો. આ સાથે જેટ ગતિએ આગળ વધી રહેલા કોરોનાનાં આકડા પણ અરજદારો દ્વારા પી.આઈ.એલ.માં રજુ કરાયા છે. 

કોરોના પોઝીટીવ વ્યક્તિઓનાં નામની યાદી જાહેર થતી બંધ થયે તુરંત જ અરજદાર દ્વારા તાત્કાલીક ધોરણે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા કલેકટર અને ભાવનગરના પ્રભારી એવા અધિકારીને પણ કોરોના પોઝીટીવ વ્યક્તિઓનાં નામ જાહેર કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી. આવી જ રજુઆત ભાવનગરનાં તમામ બાર એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, પોલીટીકલ પાર્ટીઓ તથા અન્ય જાગુ્રત નાગરિકો દ્વારા પણ કરવામાં આવી હતી. પરંતુ તેનું કશું જ નિરાકરણ આવ્યું ન હતું. કલેકટર દ્વારા આ બાબતે જાહેર હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી. તેમ છતાં પણ જ્યારે જાહેર હિતમાં આ અંગે કોઈ નિર્ણય ન લેવાતા અરજદારોને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ (જાહેર હિતની અરજી) કરવાની ફરજ પડી. અરજદારોએ પોતાની દાદ મંજુર કરાવવા માટે ઘણા બધા આધાર લીધા છે જેમાં મુખ્યત્વે એ બાબત છે કે અચાનક જ કોરોના પોઝીટીવ વ્યક્તિઓનાં નામની યાદી જાહેર કરવાનું બંધ કરી દેવાનો જે નિર્ણય લેવામાં આવ્યો તે બદઈરાદા યુક્ત, અયોય અને અન્યાયી છે. વધુમાં કોરોનાનું સંક્રમણ એવા તબક્કે છે કે જેમાં કોરોના પોજીટીવ આવનાર વ્યક્તિનાં સંપર્કમાં આવેલી દરેકે દરેક વ્યક્તિઓને ઓળખીને તેને અઈસોલેટ કરવી તથા તેનાં ટેસ્ટ કરવા રાજ્યનાં સતામંડળો માટે શક્ય નથી ત્યારે જો કોરોના પોઝીટીવ વ્યક્તિઓનાં નામ જાહેર કરવાની અગાઉની જુની સીસ્ટમ પુનઃ ચાલુ કરવામાં આવે તો નાગરીકોને એ બાબતનો ખ્યાલ આવે કે પોતે જે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા તેને કોરોના પોઝીટીવ થયો છે જેથી નાગરિકો જાતે જ પોતાની જાતને આઈસોલેટ કરી દે અને જેથી કોરોનાનું સંક્રમણ આગળ વધતુ અટકાવી શકાય અને આ રીતે રાજ્ય સરકારનાં સત્તામંડળોનાં ખભા ઉપર રહેલું મસમોટું ભારણ પણ હળવું કરી શકાય. વધુમાં એ પણ રજુઆત ક રવામાં આવી છે કે વિશ્વનાં ઘણા બધા દેશો જેવા કે જર્મની, ઈટલી, તુર્કી, ચીલી, ન્યુઝીલેન્ડ, કેનેડા, વિયેતનામ, સિંગાપોર, આઈલેન્ડ, દક્ષીણ કોરિયા વગેરે દ્વારા એગ્રેસીવ રીતે નાગરિકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા અને ત્યારબાદ ટ્રેસિંગ અનેટ્રેકિંગની સ્ટ્રેટેજી ઉપર ખાસ અને અત્યંત ભાર મુકી અને પોતાનાં દેશમાં કોરોનાનાં સંક્રમણ ઉપર કાબુ મેળવ્યો છે ત્યારે જો રાજ્યનાં સત્તામંડળો તે લેવલે ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રેકિંગ ન કરી શકે તો કમ  સે કમ કોરોનાં પોઝીટીવ વ્યક્તિઓનાં નામ તો જાહેર કરે કે જેથી લોકો પોતે જ જાગૃત બની આ બારાએ યોગ્ય કાળજી લે અને જરૃરી તકેદારી રાખે. સાથો સાથ એવું પણ ઉદાહરણ ટાંકામાં આવ્યું છે કે જેમાં વ્યક્તિને કોરોનાં થયો હોય તેમ છતાં પણ આવી વ્યક્તિ દુકાને બેસીને ધંધો કરતી હોય જેથી જાહેર જનતામાં એવો પ્રશ્ન ઉદભવ્યો હતો કે વ્યક્તિ વસ્તુ વેચે છે કે કોરોના વેચે છે ? આવાં બધા કારણોસર પણ કોરોનાં પોઝીટીવ વ્યક્તિઓનાં નામ જાહેર કરવા જે ખરેખર જાહેર હિતનો નિર્ણય છે. વધુમાં ભાવનગરની બજારો એવી રીતે ઉભરાઈ છે કે જાણે કોરોના વાઈરસનું કોઈ જ અસ્તિત્વનાં હોય અને જેથી જો યોગ્ય તકેદારી રાખવામાં નહિ આવે તો એક દિવસ એવો આવશે કે પરિસ્થિતિ કંટ્રોલ બહાર જશે અને સંપૂર્ણપણે અરાજકતા સર્જાશે. કોરોનાં પોઝીટીવ વ્યક્તિઓનાં નામ જાહેર નહિ કરી સ્થાનિક સત્તામંડળ દ્વારા નાગરિકોનાં મુળભુત બંધારણીય અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે અને લાખો લોકોની જિંદગી ખતરામાં મુકવામાં આવી રહી છે. રાજ્ય સરકાર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા કલેકટર પોતાની વર્તણુંક અને પ્રેકટીસથી સુપેરે પરિચિત જ છે તેમ છતાં તેમણે મુક દર્શક બનવાનું પસંદ કર્યું છે અને અરજદારની ૧૩ જુલાઈની લેખિત રજુઆત હોવા છતાં પણ કોઈ તાત્કાલિક પગલા ભરવામાં ન આવતા અરજદારો પી.આઈ.એલ.નાં માધ્યમથી નામદાર હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવવા મજબુર બન્યા.

Tags :