Updated: Feb 12th, 2023
- ટ્રાફીકના નિયમન અર્થે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
- હવેલી ચોકથી દિનદયાળ અને હિરાબજારમાં એકી તારીખે જમણી અને બેકી તારીખે ડાબી બાજુ વાહનો પાર્ક કરવાના રહેશે
બોટાદમાં રેલ્વે સ્ટેશન રોડ,નવનિર્મીત અન્ડરબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતાં વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર,સતવારા બોડગ થઇ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ પર પ્રવેશ કરવાનો રહેશે. તે જ રીતે પાળીયાદ તરફથી સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઇલ બજાર કરમશી કિરાણા સ્ટોરથી ટાવર રોડ પર પ્રવેશ કરવાનો રહેશે. હવેલી ચોકથી દિનદયાળ ચોક અને હિરા બજારમાં ટ્રાફીક સમસ્યા નિવારવા ફકત એકબાજુ દ્વિ-ચક્રી વાહનો પાર્ક કરવા એટલે કે, એકી તારીખે જમણી બાજુ તથા બેકી તારીખે ડાબી બાજુ વાહનો પાર્ક કરવાના રહેશે. પીક-અવર્સ દરમિયાન એટલે કે સવારે ૧૦ થી બપોરે ૨ સુધી તથા સાંજે ૪ થી રાત્રિના ૮ સુધી ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ રહેશે. ફોર્ચ્યુન હોસ્પિટલવાળા ખાચામાં જવા માટે એકર્માગીય પ્રવેશ રૂટ રહેશે. તથા તે હોસ્પિટલવાળા ખાંચામાંથી પાળીયાદ રોડ તરફ બહાર નીકળવા માટે પ્રજાપતિ સમાજની વાડી, બોયઝ હાઇસ્કૂલ,હવેલી ચોક અથવા મોચી સમાજની વાડી,હોસ્પિટલ, પાળીયાદ રોડ તરફ એક માર્ગીય પ્રવેશ રૂટ નક્કી કરાયો છે.આ જાહેરનામું આગામી તા.૬/૩ સુધી અમલી રહેશે. આ હુકમ,જાહેરનામાનો ભંગ,ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના હેડ કોન્સ્ટેબલ તથા તેનાકથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.