Get The App

સામાજિક તથા માનવીય ઉત્થાન માટે શિક્ષણ મહત્વનુ : મુખ્યમંત્રી

- મહુવામાં સરકારી કુમાર છાત્રાલય મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ

- આફતને અવસરમાં બદલવાના વડાપ્રધાનના મંત્રને અનુસરી ગુજરાત કોરોનાને હરાવવામાં ચોક્કસ સફળ થશે

Updated: Jul 13th, 2020

GS TEAM


Google News
Google News
સામાજિક તથા માનવીય ઉત્થાન માટે શિક્ષણ મહત્વનુ : મુખ્યમંત્રી 1 - image


ભાવનગર, તા. 13 જુલાઈ 2020, સોમવાર 

સામાજિક તથા માનવીય ઉત્થાન માટે શિક્ષણ મહત્વનુ તેમ આજે સોમવારે ગુજરાતના મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ હતું. ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે રૃ.૩૫૬.૧૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સરકારી કુમાર છાત્રાલય(વિકસતી જાતિ) નું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  

મહુવામાં સરકારી કુમાર છાત્રાલયના ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ જણાવ્યું હતું કે, સમાજમાં વંચિત, શોષિત, પીડિત તથા ગરીબ સૌ કોઈને પૂરતો સામાજિક ન્યાય તથા સામાજિક સમરસતા મળે તે રાજય સરકારની નેમ છે. સામાજિક તથા માનવીય ઉત્થાન માટે શિક્ષણ ખૂબ મહત્વનું છે, જો શિક્ષણ હશે તો સામાજિક સમરસતા સાધી દરેકનો વિકાસ કરી શકાશે અને તેથી જ નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ આજસુધી સરકારે સબ સમાજ કો સાથ મેં લેકર આગે બઢતે જાના હે ના મંત્રને અનુસરી રાજ્યને વિકાસના પથ પર આગળ વધાર્યુ છે. છેવાડાનો માનવી પણ શિક્ષણ મેળવી પોતાનો વિકાસ કરી શકે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તેથી જ કુમાર છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ, શિષ્યવૃત્તિ, વિદેશ અભ્યાસ વગેરે જેવી અનેક શૈક્ષણિક સુવિધાઓ જે લોકો સામાજિક રીતે પાછળ રહી ગયા છે તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા સરકારે ઉભી કરી છે. કોરોના મહામારી સામે આખું વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે પરંતુ વડાપ્રધાનના આફતને અવસરમાં બદલવાના મંત્રને અનુસરી ગુજરાત કોરોનાને હરાવવામાં ચોક્કસ સફળ થશે. આજે ગુજરાતમાં ઉચ્ચ કક્ષાની આરોગ્ય સારવારના કારણે કોરોના રિકવરી રેટ વધ્યો છે અને મૃત્યુ દર ઘટયો છે. સૌ કોરોના અંગે જાગૃત બનીએ તો રાજ્યનો વિકાસ હંમેશા વધતો જશે અને ગુજરાત ક્યારેય પાછું નહીં પડે. 

મહુવા ખાતે ૩૫૬.૧૦ લાખના ખર્ચે નિમત આ સરકારી કુમાર છાત્રાલયમાં ગ્રાઉન્ડ ફ્લોર પર લાયબ્રેરી, રીડીંગ રૃમ, એન્ટ્રી, ડીસેબલ એન્ટ્રી, ટોયલેટ, બાથરૃમ, ડીસેબલ ટોઈલેટ-બાથરૃમ, વોર્ડન ક્વાર્ટર, ઓફીસ, કોમ્પ્યુટર રૃમ, વીઝીટર રૃમ, કિચન, કિચન સ્ટોર, ડાયનિંગ હાલ, ડીશ વોશ એરીયા, વોટર એરીયા, પેસેજ એરીયા તેમજ પ્રથમ માળે ૧૬ છાત્ર રૃમ, ૬ છાત્ર ટોઈલેટ, ૬ છાત્ર બાથરૃમ, રીડીંગ પેસેજ, વોટર કુલર પેસેજ, અને બીજા માળે પણ ૧૬ છાત્ર રૃમ, ૬ છાત્ર ટોઈલેટ, ૬ છાત્ર બાથરૃમ, રીડીંગ પેસેજ, વોટર કુલર પેસેજની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. કેમ્પસમાં બોર તથા સંપની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. આ પ્રસંગે સાંસદ, મહુવા નગરપાલિકા પ્રમુખ, મહુવા તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર સહિતના અધિકારી-કર્મચારી, રાજકીય અગ્રણી-કાર્યકર હાજર રહ્યા હતાં. 

Tags :