Get The App

ગુમાનદેવ હાઇવેના માર્ગને તંત્ર દ્વારા થીંગડા મારવાનું શરૂ કરાયુ

-રાણીપુરા અને નાનાસાંજા ગામની જિલ્લા કલેટરની રાત્રી સભામાં થયેલી રજુઆત થઇ હતી

Updated: Mar 4th, 2020

GS TEAM

Google News
Google News
ગુમાનદેવ હાઇવેના માર્ગને તંત્ર દ્વારા થીંગડા મારવાનું શરૂ કરાયુ 1 - image

ઝઘડિયા તા.4 માર્ચ 2020 બુધવાર

ઝઘડિયા પંથકમાંથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતા ફોરલેન હાઈવેની મૂળમાંથી જ કેટલાક સ્થળોએ કામગીરી અધૂરી પડી છે.છેલ્લા કેટલા વર્ષોથી સરદાર પ્રતિમાના પ્રવાસીઓ અને સ્થાનિકો હાડમારીનો સામનો કરી રહ્યા છે.સમારકામ માટે સેંકડો વખતની રજૂઆત બાદ આજરોજથી થીંગડા મારવાનું શરૃ કરવામાં આવ્યું છે.

 ઝઘડિયામાં જિલ્લા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતા ફોરલેન હાઇવેની કામગીરી ગુમાનદેવ, ખડાલી, રાજપારડી, ઉમલ્લા વગેરે સ્થળોએ બાકી છે.ત્રણ તાલુકા ઝઘડિયા થી વાલિયા, નેત્રંગને જોડતા રોડની કામગીરી 2012 થી બંધ પડી છે.ધારોલી ગામથી જી આઈ ડી સીને જોડતા 8 કિમિ ના રોડ મરામતની કામગીરીની અસંખ્ય રજૂઆત બાદ પણ વર્ષોથી સમારકામ હાથ ધરવામાં આવતું નથી.નર્મદા મઢી કિનારે સંરક્ષણ દીવાલની કામગીરી અધૂરી છે, ઝઘડિયા મઢી ખાતે સ્મશાનની કામગીરી ખોરંભે પડી છે,

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતા ફોરલેન હાઈવેની કામગીરી ઠેર ઠેર અધૂરી પડી છે. જે કોન્ટ્રાક્ટરને સરકાર દ્વારા કામ સોંપાયું હતું તે અધૂરી કામગીરી પૂર્ણ કર્યા વગર કોન્ટ્રાક્ટર કામ પડતું મૂકી ભાગી ગયો છે. અધૂરી કામગીરી અને જેટલો ફોરલેન બન્યો છે તેના સમારકામ નહિ થતા હોવાના કારણે સ્થાનિકો અને સરદાર પ્રતિમાના પ્રવાસીઓ  હાડમારી ભોગવી રહ્યા છે પરંતુ સ્થાનિક અને જિલ્લા વહીવટી તંત્રને કઈ પડી જ નથી. અસંખ્ય રજૂઆતો બાદ  અધૂરી પડેલી કામગીરી કોન્ટ્રાક્ટર પાસે પુરી કરાવવા સરકાર અસમર્થ હોઈ તેમ જણાઈ રહ્યું છે .આ  કરોડોના કામમાં મોટાપાયે ભ્રષ્ટ્રાચાર થયો હોવાની ગંધ આવી રહી છે. 

ઝઘડિયાના ગુમાનદેવ પાસે રોડની એટલી વિકટ પરિસ્થિતિ છે કે વાહન ક્યાં અને કેવી રીતે ચલાવવું તે સમજમાં આવે તેમ નથી.રાણીપુરા અને નાનાસાંજા ગામની જિલ્લા કલેટરની રાત્રી સભામાં થયેલી રજુઆત રંગ લાવી છે .બંને ગામના ગ્રામજનોએ કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી હતી.ગુમાનદેવ મંદિરથી રેલવે ફાટક સુધીના અત્યંત ખરાબ રોડના પડેલા ખાડાઓ પુરી થીંગડા મારવાનું કામ આજરોજ સ્ટેટ હાઇવે વિભાગ દ્વારા કરી રહ્યું છે. હાલમાં ફક્ત ખાડાઓ પુરી થીંગડા મારવામાં આવશે 

હોળી પછી તેનું કાર્પેટિંગ કરવાની વાત સ્ટેટ હાઈવેના ઇજનેરે જણાવી હતી.ગુમાનદેવથી રેલવે ફાટક પર કેટલોક રોડ અધૂરો છે એટલે વન વે હોવાથી  સમારકામની કામગીરી ચાલે છે.જેથી ટ્રાફિક જામ સર્જાયો હતો, સામસામે આવેલા વાહનો  પસાર થઇ નહિ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું .તેમ છતાં સ્થાનિક વાહન ચાલકોને હાશકારો હતો કે આજે ટ્રાફિક વેઠી લો પણ રોડનું સમારકામ થશે તો સમસ્યાનો અંત તો આવશે ! 

-તાલુકામાં  બસ સ્ટેન્ડ બનાવવાના બાકી  

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા અને સરદાર પ્રતિમાને જોડતા હાઈવેની વિસ્તૃતિકરણ ની કામગીરી દરમિયાન તાલુકાના ખર્ચી થી લઇ તવડી સુધીમાં આવતા તમામ બસસ્ટેન્ડો તોડી પાડવામાં આવ્યા હતા. ફોરલેન હાઈવેની જ કામગીરી અધૂરી પડી છે તો બસસ્ટેન્ડની તો વાત જ શુ કરવીકે ક્યારે બનશે ? છેલ્લા પાંચ વર્ષથી તોડી પડાયેલા 42 બસસ્ટન્ડો બન્યા નથી જેથી પાંચ વર્ષથી મુસાફરો તાપ, ટાઢ અને વરસાદ વેઠી રહ્યા છે પરંતુ અહીં તો આમ જનતાની પડી જ કોને છે ? વિકાસના નામ પર આમ જનતા પર સમસ્યાઓનો મારો ચલાવાઈ રહ્યો છે.   

Tags :