Get The App

આમોદના સરભાણ ગામનો રેપ વીથ હત્યા કેસ ઉકેલવામાં ભરૂચ પોલીસનો પન્નો ટુંકો !

આદિવાસી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાય માંગ્યો

Updated: Dec 6th, 2021

GS TEAM

Google News
Google News

ભરૂચ: આમોદ તાલુકાના સરભાણ ગામમાં ૧૪ વર્ષીય  માસૂમ બાળકીનો રેપ કરી મર્ડર કરી દેવાયુ હતું. લાકડા વિણવા ગયેલી આ બાળકીને કપાસના ખેતરમાં ધસડી જઇ કેટલાક વિકૃતોએ હેવાનિયતની હદ વટાવી હતી. આ ઘટનાને એક મહિનો વીતી ગયો છે. પરંતુ ભરૂચ પોલીસ આરોપીઓને પકડી શકી નથી. જેના કારણે આદિવાસી સમાજમાં આક્રોશ ઉભો થયો છે. આજરોજ આદિવાસી સમાજ દ્વારા ભરૂચ કલેકટરને  ગુજરાતના મુખ્યમંત્રીને અને રાજ્યના ગૃહ મંત્રી  સંબોઘીને પાઠવેલ આવેદનપત્ર  જિલ્લા કલેકટર ને  પાઠવી વહેલી તકે આરોપીઓને ઝડપી પાડી સખતમાં સખત સજા કરવાની માંગ કરવામાં આવી હતી..