Get The App

ભરૂચના કસકથી ઝાડેશ્વર ચોકડી સુધીના રસ્તાના નિર્માણ કાર્ય માટે નડતર રૂપ દબાણો દૂર કરાયા

-રોજગારી છીનવાતાં દબાણકર્તાઓમાં રોષ

Updated: Dec 27th, 2019

GS TEAM

Google News
Google News
ભરૂચના કસકથી ઝાડેશ્વર ચોકડી સુધીના રસ્તાના નિર્માણ કાર્ય માટે નડતર રૂપ દબાણો દૂર કરાયા 1 - image

ભરૂચ તા.27 ડિસેમ્બર 2019 શુક્રવાર

ભરૂચના કસક ઝાડેશ્વર ચોકડી સુધીના માર્ગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું  છે.જેને લઇ  જાહેર માર્ગો ઉપર નડતરરૃપ  દબાણો  માર્ગ-મકાન  વિભાગ  અને  પોલીસ કાફલા સાથે દૂર કરવામાં આવ્યું હતું .

 ભરૂચના કસક સર્કલ થી ઝાડેશ્વર ચોકડી  સુધીના માર્ગના નિર્માણ કાર્ય માટે બે કરોડ મંજૂર થયા હતા .જેને લઇ રોડની નિર્માણકાર્ય શરૃ કરવામાં આવતા જ ભરૂચના કસક સર્કલથી જ્યોતિનગર  સુધીના  મુખ્ય  માગ ર્ ઉપર  દબાણ કરી  વેપાર કરનારાઓ  પર  તંત્રએ સપાટો બોલાવ્યો હતો.

જે ભરૃચના મકતમપુર જી ઈ બી કચેરીથી જ્યોતિનગર  સુધીના દબાણો  દૂર કરવામાં આવ્યા હતા .માર્ગ અને મકાન વિભાગ એ પોલીસ કાફલાને સાથે રાખી દબાણની કાર્યવાહી કરી હતી .જેમાં જાહેર માર્ગો ઉપર દબાણ કરી વેપાર કરનારાઓની  લારી  કેબીન  તથા  માલ સામાન  કબજે  કરવામાં આવ્યો હતો .દબાણ દૂર કરવામાં આવતા  દબાણકારોમાં  રોષ જોવા મળ્યો હતો.  

Tags :