ભરૂચમાં પ્રાથમિક સુવિધાઓ મેળવવા આમરણ અનશન
-વરિષ્ઠ નાગરિકની વારંવારની રજૂઆતો નિષ્ફળ રહેતા અંતિમ પગલે સત્યાગ્રહના મંડાણ
ભરૂચ તા.20 નવેમ્બર 2019 બુધવાર
ભરૂચના નિવૃત્ત સરકારી કર્મચારીએ આજથી પાલિકા વિસ્તારની વિવિધ સમસ્યાઓના મુદ્દે આમરણ ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે.
ભરૃચના વરિષ્ઠ નાગરિક બીપીનચંદ્ર જગદીશવાલાએ પાલિકા વિસ્તારમાં સફાઈ, સુધ્ધ પીવાનું પાણી, લાઈટ ડોર ટુ ડોર કચરા કલેકશન વિગેરે પાયાની સુવિધાઓ સારી રીતે પૂરી પાડવામાં પાલિકા ઉણી ઉતરી રહી હોવાની રજુઆત છેલ્લા ત્રણ માસથી કર્યા પછી પણ ભરૃચ પાલિકાએ કોઈ ઉકેલ નહીં લાવતાં જગદીશવાલાએ પાંચબત્તી સર્કલ પાસે અહિંસક રીતે આમરણાંત ઉપવાસ આંદોલન શરૃ કરવા મંજુરી માગી હતી.
જે તંત્રે તેમને આપવામા ઈનકાર કર્યો હોવા છતાં તેઓએ પૂર્વ નિર્ધારીત રીતે તેઓના ઉપવાસ આંદોલનનો આજથી પ્રારંભ કર્યો છે. જેમાં તેઓને કેટલાક અન્ય લોકોનો પણ સહકાર મળી રહ્યો છે.
પ્રાથમિક સુવિધાની કથળેલી હાલતના આક્ષેપ સાથે આમરણાંત ઉપવાસ શરૃ કરનાર બીપીનચંદ્ર જગદીશવાલાની ભરૃચ પાલિકા વિપક્ષના નેતા દંડક, પાલિકા સભ્ય ઉપરાંત શાસક પક્ષના પાલિકા સભ્યે પણ મુલાકાત લઈ આ અંગે પાલિકા ખાતે રજુઆત કરી તેઓની માંગણી નિવારણ માટે આશ્વાસન આપ્યું હતુ. નિવૃત્ત સરકારી અધિકારીઅને જાગૃત નાગરિકના ઉપવાસ આંદોલનથી તંત્રમાં હલચલ શરૂ થવાની સાથે સમાધાન માટેના પ્રયાસો શરૃ થયા હોવાની ચર્ચા જનતામાં થઈ રહી હતી.