ભરૂચ: ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા ભરૂચ જિલ્લામાં કોવિડ ૧૯ (કોરોના)
સંક્રમણને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારોએ સહાય મેળવવા તાલુકા મામલતદાર
કચેરી, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર શાખા ભરૂચ ખાતેથી ફોર્મ મળશે. તદ
ઉપરાંત સહાયના ફોર્મ જરૂરી વિગતો અને પુરાવા સાથે ભર્યા બાદ ઉપર જણાવેલ કચેરીમાં
જમા કરાવવાના રહશે તેવી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

