Gujarat
ભરૂચ રેલવે તંત્રમાં વય મર્યાદાના પગલે નિવૃત થતા કર્મચારીનો વિદાય સભારંભ યોજાયો
By GS Team
2 Dec 20211 min read
This article was originally published on 2 Dec 2021

ભરૂચ: પશ્ચિમ રેલ્વેના સિનિયર સેક્શન એંજિનિયર ઑ.એચ.ઇ.ટી.આર.ડી વિભાગમાં એમ.સી.એફ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ મોતીભૈયા રાઠોડ વય મર્યાદાને પગલે નિવૃત થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં રેલવેના અધિકારીઓએ નિવૃત થતાં કર્મચારી ગણપત રાઠોડને શ્રીફળ આપી અને સાલ ઓઢાડી સન્માન કરી તેઓનું નિવૃતિકાળનું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ રહે તેવી શુભેકામનાઓ પાઠવી હતી. આ વિદાય સમારોહમાં હાર્દિક રાજન,એ.વાય. પઠાણ, દિનેશ વસાવા, માનસિન્ગ ગુર્જર, ડી.સી.મીના, કુલદીપ મીના, દૂપેશ કાંવરે અને આર.બી.પટેલ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.




