Get The App

ભરૂચ : 13 થી 16 ડિસેમ્બર સુધી નેશનલ હાઇવે પર વરેડિયા ભૂખી પુલ ડાઈવર્ઝન અપાયો

Updated: Dec 12th, 2021

GS TEAM

Google News
Google News

ભરૂચ: સુરતથી વડોદરા ને જોડતા ને.હા.48 ઉપર વરેડિયા ભૂખી પુલ ઉપર જૂના સાંકડા બ્રીજનું સમારકામ હોવાથી તારીખ 13 થી 16 ડિસેમ્બર સુધી ડાઈવર્ઝન આપવામાં આવશે જેમાં માંચ કટથી વરેડિયા કટ સિંગલ લેનમાં ટ્રાફિક ચલવવામાં આવશે તેમજ સુરત થી વડોદરા જતા વાહનો માંચ કટથી સામેની સાઈડ સિંગલ લેનમા જઈ વરેડિયા કટથી બહાર નીકળશે વડોદરા થી સુરત જતા વાહનો આ બ્રિજનો એક બાજુનો ઉપયોગ કરી શક્શે.