Get The App

ભરૂચમાં કાેરાેના પાેઝિટિવના 9 અને જંબુસરમાં 2 મળી કુલ 11 કેસ નોંધાયા

-શાકભાજી વિક્રેતાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં

Updated: Jun 23rd, 2020

GS TEAM

Google News
Google News
ભરૂચમાં કાેરાેના પાેઝિટિવના 9 અને જંબુસરમાં 2 મળી કુલ 11 કેસ નોંધાયા 1 - image

ભરૂચ તા.23 જુન 2020 મંગળવાર

ભરૂચ  શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ પ્રસરી રહ્યું છે.જેમાં અષાઢી બીજના દિવસે ભરૂચ  શહેરમાં 9 અને જંબુસરમાં 2 મળી ભરૂચ જિલ્લા કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા.ભરૂચજિલ્લાનો આંક 162 ને પાર થયો છે.ભરૂચની શાકભાજીની લારી ચલાવનારને કોરોના પોઝિટિવ આવ્યો છે.છતાં શાકભાજીની લારીઓ વાળા જાહેર માર્ગ ઉપર માસ્ક અને ગ્લોઝ વિના વ્યવસાય કરતા કેમેરામાં કંડારાયા છે. 

ચાર તબક્કાના લોકડાઉન બાદ પાંચમાં તબક્કાના અનલોક 1માં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે.જંબુસરમાં દિવસ દીઠ 8 થી 10 કોરોના પોઝિટિવ કેસો મળી આવતા હતા. આજે માત્ર બે કેસ આવ્યા હતા.ભરૂચ શહેરમાં લોકલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું છે.ભરૂચ શહેરમાં 9 કોરોના પોઝિટિવ જયારે જંબુસરના 2 મળી 10 કોરોના પોઝિટિવ કેસ ભરૂચ માં નોંધાયા હતા. જેથી ભરૂચમાં કોરોના પોઝિટિવ આંકડો 162 ને પાર થયો છે.

ભરૂચના કોરોના પોઝિટિવ કેસમાં શાકભાજીની લારી ચલાવનાર અને આલી કાછીયાવાડનો રહીશનો પણ કોરોના પોઝિટિવ આવતા તેને કેટલા લોકોને શાકભાજી વહેંચી હશે. કેટલાક લોકો સંક્રમણ થયા હશે જે તપાસનો વિષય છે. શાકભાજીની લારીવાળો કોરોના પોઝિટિવ આવ્યો હતો.તે ભરૃચની વડદલા એપીએમસીમાંથી શાકભાજી વહેલી સવારે લાવી શક્તિનાથ વિસ્તારમાં વ્યવસાય કરી રહ્યો હતો.

ભરૂચના વિવિધ વિસ્તારોમાં સેવાશ્રમ રોડ, શકિતનાથ, તુલસીધામ, સ્ટેશન રોડ ઉપર શાકભાજીની લારી ઉભી રાખી વેપાર કરનારાઓ  માસ્ક અને ગ્લોઝ વિના વેપાર કરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.  કોરોનાનું સંક્રમણ નાથવા માટે ભરૃચ નગર પાલિકા કે પોલીસ તંત્રએ માસ્ક અને ગોલ્સ વિનાના લારી ચલાવનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની જરૃર જણાઈ રહી છે.આ શાકભાજી ચલાવનાર સાથે અન્ય કેટલા લોકોના કોરોના ટેસ્ટ થાય છે .જે એક તપાસનો વિષય છે. 

-ભરૂચ જિલ્લામાં નવા નોંધાયેલા દસ કેસ 

(1) જયેશભાઈ પટેલ (ઉ.53,રહે. નેતાજી સ્ટ્રીટ સત્યનારાયણ મંદિર, ઝાડેશ્વર)

(2) જયદીપસિંહ કિરીટસિંહ રણા  (ઉ.26, રહે.પુષ્પક સોસાયટી, જીએનએફસી ટાઉનશીપ, ભોલાવ, ભરૂચ)

(3) પરી ટેલર   (ઉ.રહે. નિજધામ રેસીડેન્સી, પ્રસાદ સોસાયટી, મકતમપુર)

(4) પાયલ ભાવેશ ટેલર  (ઉ.32, રહે. નિજધામ રેસીડેન્સી, પ્રસાદ સોસાયટી, મકતમપુર)

(5) જીતેન્દ્રકુમાર ધનસુખલાલ પટેલ  (ઉ.૪૯, રહે. મસાલા ફળિયા, આલી આલીપુરા કાછીયાવાડ, ભરૂચ (શાકભાજીનો વ્યવસાય)

(6) ભાવેશભાઈ બાબુભાઈ ટેલર  (ઉ.45,રહે. નિજધામ રેસીડેન્સી, પ્રસાદ સોસાયટી, મકતમપુર)

(7) રાજદીપસિંહ રણા  (ઉ.29,રહે. પુષ્પક સોસાયટી, જીએનએફસી ટાઉનશીપ પાસે, ભોલાવ, ભરૂચ) 

(8) પ્રેમલતાબેન દરજી  (ઉ.રહે. નિજધામ રેસીડેન્સી, પ્રસાદ સોસાયટી, મક્તમપુર)

(9) મિસર્ગ ટેલર  (ઉ.13,રહે. નિજધામ રેસીડેન્સી, પ્રસાદ સોસાયટી, મકતમપુર)

(10) ધર્મેન્દ્રભાઈ ભણવટીલા  (ઉ.49, રહે., દાઝી બાવાનો ટેકરો, જંબુસર)

(11) મહમંદ યુસુફ પટેલ ઉ.વ.72 કુંજા ફળિયું મુ.પો. ખાનપુરદેહ તા.જંબુસરનાે સમાવેશ થાય છે.

Tags :