Get The App

બોર્ડર ઉપર અટવાયેલા લોકોને વતન જવા દેવાશેઃ તંત્રનો નિર્ણય

- બનાસકાંઠામાં અમીરગઢની સરહદ ઉપર હોબાળો થતાં

- રાજસ્થાન તેમજ ગુજરાતના આરોગ્ય, પોલીસ, મહેસુલ વિભાગ દ્વારા એક ટીમ બનાવાઈ જે તમામ લોકોની માહિતી નોંધશે

Updated: Apr 16th, 2020

GS TEAM

Google News
Google News
બોર્ડર ઉપર અટવાયેલા લોકોને વતન જવા દેવાશેઃ તંત્રનો નિર્ણય 1 - image

પાલનપુર,તા.15 એપ્રિલ 2020, બુધવાર

નોવેલ કોરોના વાયરસ વૈશ્વિકમહામારીના કેસો ભારત અને ગુજરાતમાં પણ નોંધાયા છે. જે અન્વયે અન્ય રાજ્યમાં કોરોન્ટાઈન પૂર્ણ કરીને ગુજરાત રાજ્યમાં આવનાર વ્યક્તિઓને ગુજરાત રાજ્યની બોર્ડરના જિલ્લાના હેલ્થ ઓથોરિટી દ્વારા રીસીવ કરવા, વિગતવાર જરૃરી માહિતીની નોંધ કરીત્યારબાદ તેમના વતનમાં હોમ ક્વોરોન્ટાઈનમાં રાખવા માટે મોકલી આપવાની સુચના આપી છે. જે મુજબ અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યની બોર્ડરના જિલ્લામાંથી જરૃરી નોંધણી કરી તેઓને તેમના રહેણાંકના સ્થળે જવા માટે જરૃરી ટ્રાન્સમીટ પાસકાઢી આપવા તથા તેઓના વતન કે રહેણાંકના જિલ્લા આરોગ્યના વહિવટી તંત્રને આવા ક્વોરન્ટાઈન થયેલ વ્યક્તિઓ રવાના કર્યાની જાણ કરવાની કાર્યવાહી બોર્ડરના જિલ્લાના આરોગ્યના વહિવટીતંત્રએ કરવાની થાય છે. તેમજ બોર્ડરના જિલ્લામાંથી જાણ થયેથી રહેણાંક કે વતનના જિલ્લામાં ક્વોરોન્ટાઈન પૂર્ણ થયેલ વ્યક્તિઓ આવે ત્યારે તેઓને રીસીવ કરવા માટે તથા તેઓના રહેણાંકના સ્થળે હોમ ક્વોરન્ટાઈનમાં મોકલી આપવા તથા તેવા વ્યક્તિઓની વિગતવાર નોંધ રાખવાની કાર્યવાહી રહેણાંકના જિલ્લાના આરોગ્યના વહિવટીતંત્રએ કરવાની થાય છે. બોર્ડરના તથા રહેણાંક કે વતનના જિલ્લામાં હેલ્થ ઓથોરિટીની સાથે મદદરૃપ થઈને કામગીરી કરવા એક ટીમની રચના કરવા તથા આ ટીમમાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ તથા મહેસુલ વિભાગના એક-એક અધિકારી અને કર્મચારીની નિમણૂંક કરવામાં આવી છે.

Tags :