છાપી હાઇવે ઉપર મીનીબસમાં આગ લાગતા ભસ્મીભુતઃ 10 મુસાફરોનો બચાવ
- ધ બર્નીગ બસ ,શોર્ટસકટ થયાનું અનુમાન
- તીવ્ર વાસ આવતા ડ્રાઇવરે સમય સુચકતા વાપરી બસને થોભાવી: મુસાફરોને નીચે ઉતારી દીધા
છાપી તા.22
વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર શનિવાર વહેલી સવારે
એસટી નિગમ ની ઇન્ટરસિટી બસમાં એકાએક આગ ભભૂકી ઉઠતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી.બસમાં
આગ લાગવાની ઘટનાને લઈ લોકોમાં દોડધામ મચી ગઇ હતી.જોકે બસ ચાલકની સમય સુચકતાના
કારણે તમામ મુસાફરોનો બચાવ થયો હતો.
પાલનપુર - મહેસાણા હાઇવે ઉપર આવેલ છાપી હાઇવે ઉપર પાલનપુરથી મહેસાણા તરફ જઈ રહેલ એસટી નિગમની ઇન્ટરસિટી બસમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતા બસ જોતજોતામાં આગમાં લપેટાઈ ગઈ હતી.આગ એટલી તીવ્ર હતી કે આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ જતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થઇ ગયા હતા.બસ ચાલક એ.એમ બિહારીને ઘટના અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે બસમાં અચાનક કંઇક બળતું હોવાની દુર્ઘન્ધ પ્રસરતા બસને થોભી તપાસ કરતા સાયલન્સરમાંથી કંઈક બળતું હોવાનું જણાતા તાત્કાલિક બસમાં સવાર મુસાફરોને ઉતારી અન્ય બસમાં બેસાડી રવાના કરવામાં આવ્યા હતા.જે દરમિયાન આગ પ્રસરતા ઉપસ્થિત લોકોના સહકારથી આગ બુજાવવાની કોશિશ કરવામાં આવી હતી.
જોકે આગ જોતજોતામાં ભીષણ સ્વરૃપ લઈ લેતા ફાયર ફાઈટર આવે તે
પહેલાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી આગની ઘટનાને લઈ મહેસાણા તરફ જતાં વાહનોની કતારો
લાગતા ટ્રાંફિક જામ થતાં તાત્કાલિક છાપી પોલીસ આવી પહોંચી ટ્રાંફિક રાબેતા મુજબ
કરવામાં આવ્યું હતું જોકે બસમાં આગ લાગવા ની ઘટનાને લઈ બસ ચાલકની સમયસુચતાના કારણે
મોટી જાનહાનિ તળી હતી.
ફાયર ફાઈટર સવા કલાકે આવ્યું
છાપી હાઇવે ઉપર એસટી નિગમ ની બસમાં ભીષણ આગ લાગવાની
ઘટનામાં ઉપસ્થિત લોકોએ ૧૦૮ને ઇમરજન્સી કોલ કરતા અડધો કલાકે લોકેશન માટે કોલ આવ્યો
હતો.જ્યારે પાલનપુરથી ફાયર ફાઈટર સવા કલાકે ઘટના સ્થળે પહોંચ્યું હતું.દરમિયાન
ફાયર ફાઈટર પહોંચે તે પહેલાં બસ આગમાં સ્વાહા થઈ ગઈ હતી જેથી ફાયર ફાઈટરની
કામગીરીને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.