mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અંબાજી ગબ્બર પર્વત : 76 વર્ષથી અન્નજળનો ત્યાગ કરનાર ચુંદડીવાળા માતાજીએ દેહત્યાગ કર્યો

- પ્રહલાદભાઈ જાનીએ ચુંદડીવાળા માતાજી તરીકે અરવલ્લીની ગિરિકંદરાઓમા અન્નજળનો ત્યાગ કરીને તપસ્વીની જેમ ધુણી ધખાવી હતી

- તેમણે પોતાના વતન ચરાડામા અંતિમ શ્વાસ લીધા

Updated: May 26th, 2020

અંબાજી ગબ્બર પર્વત : 76 વર્ષથી અન્નજળનો ત્યાગ કરનાર ચુંદડીવાળા માતાજીએ દેહત્યાગ કર્યો 1 - image


અંબાજી, તા. 26 મે 2020 મંગળવાર 

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પાસે રહેતા અને 76 વર્ષથી અન્નજળનો ત્યાગ કરનાર ચુંદડી વાળી માતાના નામે પ્રસિદ્ધિ પામેલા પ્રહલાદભાઈ એ અંતિમ શ્વાસ લીધા છે.

સંતો મહંતો સહિત તેમના નજીકના આશ્રમના અનુયાયીઓ સમાધિની વિધિ માટેની તૈયારીઓમા લાગ્યા છે.

ગુજરાત સહિત દેશ-વિદેશમાં લાખો ભક્તો ધરાવતા ચુંદડી વાળા માતાજી આ ધરતી પર અન્નજળ વગર કેવી રીતે જીવન જીવી રહ્યી શકયા. તે વિજ્ઞાન માટે પણ પડકારજનક હતુ.

Gujarat