અંબાજી: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માં અંબાના કર્યા દર્શન
- અંબાજીમાં કરી મંગળા આરતી
અંબાજી, તા. 24 જૂન 2020 બુધવાર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વહેલી સવારે આદ્યશકિતમાં અંબાજીના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો.
મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન 3 મહિના લોકડાઉનની સ્થિતિ બાદ ગઈકાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પહિંદ વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચીને આજે સવારે જગદંબા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું.
મુખ્યમંત્રીએ લોક ડાઉનની સ્થિતિ બાદ પ્રથમવાર અમદાવાદ ગાંધીનગર બહારના તેમના પ્રવાસની શરૂઆતમાં આદ્યશકિત જગત જનનીના દર્શન અર્ચનથી કરી છે.
તેમણે આદ્યશકિતમાં અંબાજી સમગ્ર માનવ જાતને કોરોનાના આ સંકટમાંથી સલામત પાર ઉતારે તેવી મનોકામનાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીમાં આદ્યશક્તિના દર્શન પૂજન બાદ હવે જરૂરિયાત મુજબ પોતાના અન્ય પ્રવાસ પણ કરશે.