સિધ્ધપુરના નિદ્રોડામાં 75 વર્ષીય વૃધ્ધને કોરોના પોઝિટિવ, કુલ પોઝિટિવ આંક 71 પર પહોંચ્યો
- સિધ્ધપુર તાલુકામાં એકવાર ફરીથી કોરોનાની એન્ટ્રી
- પાટણ જિલ્લાના વધુ પાંચ દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા, છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૧૩ દર્દીઓ સ્વસ્થ થઈ પરત ફર્યા, જિલ્લામાં અત્યાર સુધી કુલ ૪૩ દર્દીઓ સ્વસ્થ થઈ પરત ફર્યા
પાલનપુર, સિધ્ધપુર, તા.
26 મે 2020, મંગળવાર
પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાના તુટક
તુટક કેસ નોંધાતા જઈ રહ્યા છે. જેમાં મંગળવારે એકવાર ફરીથી સિધ્ધપુર તાલુકામાં
કોરોનાની એન્ટ્રી થઈ ચુકી છે. જેમાં સિધ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામના ૭૫ વર્ષીય
વૃધ્ધને કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ગામને
કોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી તરફ
આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલ પોઝિટિવ દર્દીઓની સામે સ્વસ્થ થઈ ઘરે પરત ફરેલ
દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ સહિત
જિલ્લાની જનતામાં પણ ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને પાટણ જિલ્લામાં મંગળવારે વધુ
પાંચ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં
કુલ ૧૩ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. જેમાં ૨૨ દર્દીઓ સારવાર હેઠળ દાખલ
હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું.
પાટણ જિલ્લામાં સૌપ્રથમ કોરોનાનો કેસ સિધ્ધપુરમાં
નોંધાયો હતો. ત્યારબાદ તાલુકામાં એક બાદ એક કેસ નવા આવતા કુલ ૧૬ કેસ નોંધાઈ ગયા
હતા. ત્યારબાદ લુકમાનના મોત બાદ બાકીના તમામ ૧૫ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા
હતા. પરંતુ ફરીવાર સિધ્ધપુર તાલુકામાં એન્ટ્રી કરી લીધી છે. મંગળવારે સિધ્ધપુર
તાલુકાના નિદ્રોડામાં ૭૫ વર્ષીય વૃધ્ધને શ્વાસ અને ગળુ સુકાવવું જેવા લક્ષણો જણાતા
સોમવારે સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં મંગળવારે મોડી સાંજે રિપોર્ટ પોઝિટિવ
આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. જેની વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા ગામને
કોરોન્ટાીન કરી સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ પાટણ
જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે પોઝિટિવ આવેલ દર્દીઓની સામે હવે સ્વસ્થ થનાર
દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
જેમાં જિલ્લામાં અત્યાર સુધી કુલ ૭૧ પોઝિટિવ કેસ
આવ્યા છે. જેમાં સોમવાર સાંજ સુધી ૩૮ દર્દીઓ સ્વસ્થ થઈ પરત ઘરે ફર્યા છે ત્યારે
મંગળવારે વધુ પાંચ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેમાં પાટણ શહેરમાં
ગીતાંજી સોસાયટીની ૨૫ વર્ષીય મહિલા, ચાણસ્મા શહેરની ગુરુકુલ
સોસાયટીનો ૨૫ વર્ષીય યુવક, રૃની ગામનો ૪૨ વર્ષીય પુરુષ, શંખેશ્વરના
રાણોદનો ૪૮ વર્ષીય પુરુષ તો સમીના રાધનપુરી ગેટ વિસ્તારના ૪૨ વર્ષીય યુવાનને
ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ વધુ પાંચ
દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં સ્વસ્થ થઈ ઘરે પરત ફરેલ દર્દીઓની
સંખ્યા ૪૩ થઈ ગઈ છે. તો ૫ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે હાલમાં જિલ્લામાં ૨૩
દર્દીઓ સારવાર હેઠળ દાખલ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું. તો જેમાં
મંગળવારે વધુ ૪૪ નવા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ૬૫ દર્દીઓનો
રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે ૧૨૬ શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ રહેવા
પામ્યો હતો.
સિધ્ધપુર તાલુકામાં એકવાર ફરીથી કોરોનાનીએન્ટ્રી
સિધ્ધપુર તાલુકામાં અત્યાર સુધી કુલ ૧૬ કેસ નોંધાયા હતા.
જેમાં લુકમાનના મોત બાદ તમામ ૧૫ પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા હતા ત્યારે
મંગળવારે કોરોનાએ એકવાર ફરીથી સિધ્ધપુર તાલુકામાં એન્ટ્રી કરતા નિદ્રોડા ગામના ૭૫ વર્ષીય
વૃધ્ધને ભરડામાં લેતા જિલ્લામાં કુલ ૭૫ પોઝિટિવ આંક ૭૧ પર પહોંચી ગયો છે.