Get The App

પાલનપુર એપીએમસીમાં સેસની આવકમાં 35 લાખનો ઘટાડો

- માર્કેટના ખર્ચ સામે આવક ઘટતા આથક ભારણમાં વધારો

- એરંડાની નહિવત આવક અને ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સરકાર દ્રારા માર્કેટ ફી ન ચૂકવાતા માર્કેટયાર્ડની આવક ઘટી

Updated: Jan 10th, 2021

GS TEAM


Google News
Google News
પાલનપુર એપીએમસીમાં સેસની આવકમાં 35 લાખનો  ઘટાડો 1 - image

પાલનપુર,તા.09 જાન્યુઆરી 2021, શનિવાર

બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુર ખાતે આવેલ મુખ્ય નવા માર્કેટયાર્ડમાં ચાલુ વર્ષે એરંડા ની નહિવત આવક થતા  તેમજ સરકાર દ્રારા ટેકાના ભાવે ખરીડવામાં આવેલ મગફળીમાં માર્કેટ ફી ચૂકવવામાં ન આવતા માર્કેટયાર્ડની આવકમાં ૩૫ લાખનો ધરખમ ઘટાડો નોંધાયો છે જેને લઈ એપીએમસીને આથક ભારણ વધતા અને માલની આવક ઘટતા ભવિષ્યમાં એપીએમસી તેમજ પેઢીઓને તાળા લાગે તે પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે 

કેન્દ્ર સરકાર દ્રારા પસાર કરવામાં આવેલા નવા કૃષિ વિષયક બીલમાં કોઇપણ વેપારી કે મિલ માર્કેટયાર્ડની પરવાનગી વિના તેમજ માર્કેટયાર્ડ ને કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વિના ખેડૂત પાસેથી સીધો ખેત પેદાશનો માલ ખરીદી શકશે  જેની અસર પાલનપુરના માર્કેટયાર્ડ પર જોવા મળી રહી છે ખેતી આધારિત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એપીએમસીમાં વાષક ત્રણ કરોડ ની આવક સામે ૩૫ લાખની આવકમાં ઘટાડો નોંધાયો છે જેના પાછળ મોટા વેપારીઓ તેમજ મિલ માલિકો પાસે થી ઊંચા ભાવે એરંડાની સીધી ખરીદી કરતા હોય પાલનપુર માર્કેટ યાર્ડમાં એરંડા ની આવક ઘટતા શેષની આવક પર નિર્ભર એપીએમસીને આથક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે જોકે મિલ તેમજ વેપારી પાસે થી ખેડૂતોને  એરંડામાં ૨૫ થી ૩૦ નો ભાવ વધારો મળતો હોઈ ખેડૂતો તેમનો માલ માર્કેટયાર્ડ ના બદલે મિલમાં ભરાવી રહ્યા હોય માર્કેટના વેપારીઓ ને પણ નુકશાન થઈ રહ્યું છે અને એપીએમસીમાં શેષની આવક ઘટતા માર્કેટયાર્ડ પાસે આવક નો કોઈ બીજો ોત ન હોઈ માર્કેટયાર્ડમાં મજૂરો,વીજ, પાણી,કર્મચારીના પગાર સફાઈ જેવા ખર્ચ કાઢવા પણ મુશ્કેલ બન્યા છે જેને કઈ માર્કેટયાર્ડના નિભાવ ને લઈ સંચાલકો પણ મુંઝવણમાં મુકાયા છે.

માર્કેટમાં ખેતપેદાશ ની આવક ઘટતા પેઢીઓને માઠી અસર થઈ 

સરકારના નવા કાયદા થી ખેડૂતો પોતાનો માલ સીધો મિલોમાં ભરાવતા માર્કેટયાર્ડ ની પેઠીઓમાં ખેત પેદાશની આવક ઘટતા વેપારીઓની આવક માં પણ ઘટાડો થયો છે અને આ પરિસ્થિતિ આમ જ ચાલશે તો ભવિષ્યમાં માર્કેટયાર્ડ ની પેઠી ઓને તાળા મારવા ની નોબત આવી શકે છે તેવી વેપારીઓ દ્રારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

માર્કેટયાર્ડની આવકમાં ૩૫ લાખની ઘટ નોંધાઈ

પાલનપુર નવા ગંજબજારના ઇન્સ્પેક્ટર લક્ષમાનભાઈએ જણાવ્યું હતું કે હાલ પાલનપુર ગંજબજારમાં એરંડા સહિતના પાકની આવકમાં ઘટાડો થતા તેમજ ટેકા ના ભાવે મગફળી ની આવકમાં સરકાર દ્રારા માર્કેટ ફી ચૂકવવામાં ન આવતા માર્કેટયાર્ડની આવકમાં રૃ. ૩૫ લાખ નો ઘટાડો નોંધાયો છે.

Tags :