આંગળીની લંબાઈથી જાણો કેટલું ઉજ્જવળ છે તમારું ભવિષ્ય
અમદાવાદ, તા. 2 જુલાઈ 2019, મંગળવાર
સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિના ભવિષ્ય વિશે કથન કરવામાં આવેલું છે. આ શાસ્ત્ર પણ જ્યોતિષ શાસ્ત્ર જેટલું જ પ્રભાવિ હોય છે. આ શાસ્ત્રમાં વ્યક્તિના હાથની આંગળીઓના આધારે ભવિષ્ય કથન કરવામાં આવે છે. દરેક વ્યક્તિના શરીરનો આકાર, તેની બનાવટ અલગ અલગ હોય છે. તેના આધારે તેમના ભવિષ્ય વિશે જાણી શકાય છે. કેવી રીતે થાય છે આ ફળકથન વાંચો તેની વિગતો.
અનામિકા આંગળી
જે યુવકોની અનામિકા આંગળીની લંબાઈ તર્જની આંગળી કરતા વધારે હોય છે તે દેખાવમાં આકર્ષક હોય છે. પરંતુ આ લોકો સ્વભાવના ક્રોધી હોય છે. જો કે આવા લોકો જોખમ ઉઠાવવામાં પાછળ રહેતા નથી. જે મહિલાઓની અનામિકા આંગળી આ રીતે લાંબી હોય તેમને વ્યાવસાયિક જીવનમાં ખૂબ સફળતા મળે છે. જે લોકોના હાથમાં તર્જની અને અનામિકા આંગળીની લંબાઈ સમાન હોય તે શાંતિ પ્રિય હોય છે.
સેટર્ન ફિંગર
મધ્યમા આંગળીની નીચે શનિ પર્વત હોય છે. જે યુવકોની આ આંગળી ગાંઠદાર હોય છે તેમનું જીવન ચિંતાઓથી ઘેરાયેલું રહે છે. જો આ આંગળીનો પહેલો પર્વ વધારે લાંબો હોય તો આવા યુવક આત્મહત્યા કરી શકે છે. એટલે કે તે નબળા મનોબળના હોય છે. જો પહેલો પર્વત ચપટો હોય તો તેવા વ્યક્તિ કલાક્ષેત્રમાં આગળ વધે છે.
બુધ પર્વત
હાથમાં સૌથી નાની આંગળી નીચે બુધ પર્વત હોય છે. જે લોકોના હાથમાં આ પર્વત ઊભારવાળો હોય અને લાલ તેમજ સ્પષ્ટ હોય તે બુધ ગ્રહ સંચાલિત હોય છે. બુધ પર્વતની સ્પષ્ટતા ધરાવતા લોકો બુદ્ધિમાન અને બીજા સાથે હળી મળીને રહેનારા હોય છે. આવા લોકોને જીવનભર તેના સાથીનો પ્રેમ મળે છે.