શુક્રવારે કરો મા વૈભવ લક્ષ્મીની પૂજા, ઘરમાં થશે ધન વર્ષા
- માન્યતા છે કે શુક્રવારે વિધિ-વિધાનથી મા વૈભવ લક્ષ્મીની પૂજા કરવાથી તે ભક્તોને સુખ-સમૃદ્ધિનું વરદાન આપે છે
નવી દિલ્હી, તા. 24 જુલાઇ 2020, શુક્રવાર
શુક્રવારે વૈભવી લક્ષ્મીની પૂજા કરવાનો વિધાન છે. માન્યતા છે કે શુક્રવારે વિધિ-વિધાનથી મા વૈભવી લક્ષ્મીજીની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને સુખ-સમૃદ્ધિના વરદાન આપે છે. આ સાથે જ ભક્તો પર ધનની વર્ષા કરે છે. શુક્રવારે મા વૈભવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં શાંતિ જળવાઇ રહે છે અને દરેક મનોકામના પૂરી થાય છે. જો તમે પણ ઇચ્છો છો કે મા લક્ષ્મી તમને ધન-ધાન્યથી ભરી દે તો શુક્રવારે આ વિધિ-વિધાનથી માની પૂજા ચોક્કસથી કરો અને મનથી મા લક્ષ્મીજીની વ્રત કથા વાંચો.
મા વૈભવ લક્ષ્મીની પૂજા વિધિ
- ઘરમાં એવી તસવીર લગાવો જેમાં મા લક્ષ્મીના હાથમાંથી ધનની વર્ષા થતી હોય, જો તમારા હાથમાં પૈસા નથી રહેતા અને વધારે ખર્ચ થાય છે તો આ તસ્વીર લાગાવો જેમાં વૈભવ લક્ષ્મી ઊભા હોય અને તેમના હાથમાંથી ધનની વર્ષા થતી હોય.
- મા લક્ષ્મીજીની તસવીરની સામે દિવો પ્રગટાવો. મા લક્ષ્મી માટે હંમેશા ઘીનો દિવો જ પ્રગટાવો.
- મા લક્ષ્મીને ઇત્ર ચઢાઓ અને તે ઇત્રનો નિયમિત ઉપયોગ કરો.
- જો કારણ વગરનો વધુ પડતો ખર્ચ થઇ રહ્યો છે તો મા લક્ષ્મીના ચરણોમાં પ્રત્યેક દિવસ એક રૂપિયાનો સિક્કો અર્પણ કરો અને તેને જમા કરીને મહિનાના અંતમાં કોઇ શ્રીમંત મહિલાને આપી દો.
- જો તમે મા લક્ષ્મીને પ્રત્યેક દિવસ વિધિવત પૂજા નથી કરી શકતા તો દર શુક્રવારે માતા લક્ષ્મીની વ્રત કથાનો પાઠ કરો. આમ કરવાથી તમારા બધા કષ્ટ દૂર થઇ જશે અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
આરતી :
ૐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા
તુમ કો નિશ દિન સેવત, હર વિષ્ણુ વિધાતા...
ૐ જય લક્ષ્મી માતા... ॥
ઉમા રમા બ્રહ્માણી, તુમ હી જગ માતા
સૂર્ય ચંદ્રમા ધ્યાવત, નારદ ઋષિ ગાતા
ૐ જય લક્ષ્મી માતા... ॥
દુર્ગા રૂપ નિરંજનિ, સુખ સંપતિ દાતા
જો કોઇ તુમકો ધ્યાતા, રિદ્ધિ સિદ્ધિ ધન પાતા
ૐ જય લક્ષ્મી માતા...॥
તુમ પાતાલ નિવાસિની, તુમ હી શુભ દાતા
કર્મ પ્રભાવ પ્રકાશિની, ભવ નિધિ કી ત્રાતા
ૐ જય લક્ષ્મી માતા...॥
જિસ ઘર તુમ રહતી સબ સદ્દગુણ આતા
સબ સંભવ હો જાતા, મન નહીં ઘબરાતા
ૐ જય લક્ષ્મી માતા... ॥
તુમ બિન યજ્ઞ ન હોતે, વસ્ત્ર ન કોઇ પાતા
ખાન પાન કા વૈભવ, સબ તુમસે આતા
ૐ જય લક્ષ્મી માતા... ॥
શુભ ગુણ મંદિર સુંદર, ક્ષીરોદધિ જાતા
રત્ન ચતુર્દશ તુમ બિન, કોઇ નહીં પાતા
ૐ જય લક્ષ્મી માતા... ॥
મહાલક્ષ્મીજીની આરતી, જે કોઇ નર ગાતા
ઉર આનંદ સમાતા, પાપ ઉતર જાતા
ૐ જય લક્ષ્મી માતા... ॥