Get The App

શા માટે ન કરવા જોઈએ એક ગોત્રમાં લગ્ન, જાણો તેનું સાચું કારણ

Updated: Dec 24th, 2018

GS TEAM


Google News
Google News
શા માટે ન કરવા જોઈએ એક ગોત્રમાં લગ્ન, જાણો તેનું સાચું કારણ 1 - image


અમદાવાદ, 24 ડિસેમ્બર 2018, સોમવાર

સનાતન ધર્મમાં ગોત્રનું ખૂબ જ મહત્વ છે. પૂજા પાઠ અને લગ્નમાં ગોત્રને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જો વૈદિક રીત અનુસાર લગ્ન કરવામાં આવે તો સૌથી પહેલા વર અને કન્યાના ગોત્ર વિશે જાણવામાં આવે છે. ગોત્રની જાણકારી વિના વિવાહ કરવાની મનાઈ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે ગૌત્રનું મહત્વ શું છે અને શા માટે એક ગોત્રમાં લગ્ન કરવાની મનાઈ કરવામાં આવે છે.

હિંદૂ ધર્મમાં એક જ ગોત્રના યુવક અને યુવતીના લગ્નની મનાઈ કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે એક જ ગોત્રના યુવક યુવતી પરસ્પર ભાઈ બહેન ગણાય છે એટલા માટે તે પતિ પત્ની બની ન શકે.  એક ગોત્રમાં લગ્ન ન કરવા પાછળ એક કારણ એ પણ છે કે જો એક જ ગોત્ર લગ્ન થાય તો તે દંપતિનું આવનાર બાળક માનસિક કે શારીરિક રીતે વિકૃત હોય શકે છે.

હિંદૂ રીત રીવાજ અનુસાર લગ્ન હંમેશા ત્રણ ગોત્ર છોડીને કરવા જોઈએ. આ ત્રણ ગોત્ર એટલે માતાનું ગોત્ર, પિતાનું ગોત્ર અને ત્રીજું દાદીનું ગોત્ર. આ ત્રણ ગોત્ર સિવાયના ગોત્રની વ્યક્તિની પસંદગી લગ્ન માટે કરવી જોઈએ. 

કેટલાક લોકો માને છે તે દર સાત પેઢીએ ગોત્ર બદલી જાય છે. એટલે કે સાત પેઢી સુધી એક ગોત્ર હોય છે અને આઠમી પેઢીથી ગોત્ર બદલી જાય છે. આઠમી પેઢીની વ્યક્તિ તે જ ગોત્રમાં લગ્ન કરી શકે છે. જો કે આ માન્યતા પર એકમત ખૂબ ઓછા લોકોનો હોય છે.

એક ગોત્રમાં લગ્નની માન્યતા પર વૈજ્ઞાનિક મતની વાત કરીએ તો એક ગોત્રમાં લગ્ન કરવાથી આનુવાંશિક દોષ પેઢી દર પેઢી આગળ વધે છે. અલગ અલગ ગોત્રમાં લગ્ન કરવામાં આવે તો આનુવાંશિક દોષ, બીમારી બીજી પેઢીમાં આવતા નથી. આ સ્થિતીથી બચવા માટે સલાહ આપવામાં આવે છે કે ત્રણ ગોત્ર છોડીને જ લગ્ન કરવા જોઈએ. 

Tags :