Get The App

Shrad Purnima : શરદ પૂર્ણિમા ક્યારે છે? જાણો સાચો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
Shrad Purnima :  શરદ પૂર્ણિમા ક્યારે છે? જાણો સાચો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ 1 - image


Sharad Purnima 2025: સનાતન ધર્મમાં પૂર્ણિમા તિથિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરવાની પ્રથા છે. શરદ પૂર્ણિમાને 12 પૂર્ણિમામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે પૂજા અને દાન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

શરદ પૂર્ણિમા 2025ની તિથિ

દ્રિક પંચાંગ પ્રમાણે અશ્વિન મહિનાની પૂર્ણિમાની તિથિ 06 ઑક્ટોબર 2025ના રોજ બપોરે 12:23 વાગ્યે શરુ થશે અને બીજા દિવસે 07 ઑક્ટોબર 2025ના રોજ સવારે 09:16 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં આ વર્ષે શરદ પૂર્ણિમાનો તહેવાર 06 ઑક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવશે.

શરદ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ 

શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાની સોળ કળાઓથી પરિપૂર્ણ થઈને અમૃત વરસાવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ચંદ્રના કિરણોમાં દિવ્ય ઔષધીય ગુણો હોય છે. આ જ કારણ છે કે, આ રાત્રે દૂધમાંથી બનેલી ખીર ચાંદનીમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે તેનું સેવન કરવામાં આવે છે. જાતક તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે અને તેના શરીર અને મન બંનેને શુદ્ધિ અને શક્તિ મળે છે.

શરદ પૂર્ણિમા પર કરો આ ઉપાય

આર્થિક સંકટથી છૂટકારો

જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તો શરદ પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી શ્રી હરિ અને મા લક્ષ્મીની પૂજા કરો. મા લક્ષ્મીને કમળનું ફૂલ અને એકાક્ષી નારિયેળ અર્પણ કરો. એવી માન્યતા છે કે આ ઉપાયથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થિક સંકટ દૂર થાય છે.

ધન વૃદ્ધિનો ઉપાય

ધન વૃદ્ધિ માટે શરદ પૂર્ણિમાની રાત્રે 11 પીળી કોડીઓ પીળા કપડામાં બાંધીને માતા લક્ષ્મીની સામે મૂકો. બીજા દિવસે તેને તિજોરીમાં રાખો. આમ કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી અને માતા લક્ષ્મીનો વાસ કરે છે.

Tags :