જન્મકુંડળીના સૌથી ખતરનાક નાગ દોષનું આ રીતે કરો નિવારણ
અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2019, શનિવાર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મનુષ્યના જીવનનો સૌથી ખતરનાક દોષ નાગ દોષ હોય છે. આ દોષ વ્યક્તિના અગાઉ કરેલા કર્મ અને તેની મૃત્યુની પ્રકૃતિ અનુસાર આ જન્મમાં સર્જાય છે. નાગ દોષનો સંબંધ રાહુ ગ્રહ સાથે હોય છે. કારણ કે રાહુનો સંબંધ નાગ સાથે હોય છે. જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં પહેલા સ્થાન પર રાહુ અને કેતુ હોય અને ચંદ્ર સાથે શુક્ર હોય તેવી સ્થિતીમાં તેની કુંડલીમાં નાગ દોષ સર્જાય છે.
જેમના જીવનમાં નાગદોષ હોય છે તેમના જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે. જાતક વારંવાર દુર્ઘટનાનો ભોગ બને છે, વિવાહમાં સમસ્યા, સંબંધોમાં વિખવાદ, માનસિક બીમારી અને મૃત્યુ જેવા જોખમ તેના જીવન પર સતત રહે છે. કેટલાક જાતકોને સંતાનપ્રાપ્તિમાં પણ સમસ્યાઓ થાય છે. એટલા માટે જ જરૂરી છે કે આ દોષનું નિવારણ કરવામાં આવે. તો ચાલો હવે જાણી લો કે નાગદોષનું નિવારણ કેવી રીતે કરી શકાય છે.
કયા કારણે સર્જાય છે નાગદોષ
કુંડળીમાં રાહુના પ્રભાવથી સર્જાય છે નાગદોષ. આ ઉપરાંત પૂર્વ જન્મની કેટલીક ઘટનાઓ પણ આ દોષ માટે જવાબદાર હોય છે. જો પૂર્વ જન્મમાં બાળકને ગર્ભમાં જ મૃત્યુ આપ્યું હોય તો તેના કારણે પણ નાગદોષ સર્જાય છે. જો કોઈ જાતકના અંતિમ સંસ્કારમાં કોઈ ખામી રહી હોય તો પણ નાગદોષ આવે છે.
નાગદોષના નિવારણ માટેના ઉપાયો
1. નાગદોષમાંથી મુક્તિ મેળવવા માટે કૃષ્ણપક્ષની છઠની તિથિ પર સર્પ પરિહાર પૂજા કરાવવી.
2. રોજ ભગવાન શિવની પૂજા કરવી અને કાળા શિવલિંગ પર દૂધ અને પાણી ચઢાવવું.
3. સિદ્ધ શિવ મંદિરમાં મહામૃત્યુંજય પૂજા અને રુદ્રાભિષેક કરાવવો.
4. મહાશિવરાત્રિનું વ્રત કરવું અને આ દિવસે રુદ્રાભિષેક કરવો.
5. "ॐ નાગરાજાય વિદ્મહે કદ્રૂવંશાય ધીમહિ, તન્નો નાગ: પ્રચોદયાત્" મંત્રનો જાપ કરવો.