Get The App

જાણો શું હોય છે સમયચક્ર અને કેવી રીતે નક્કી થયા 12 મહિના અને વારના નામ ?

Updated: Jan 3rd, 2020

GS TEAM

Google News
Google News
જાણો શું હોય છે સમયચક્ર અને કેવી રીતે નક્કી થયા 12 મહિના અને વારના નામ ? 1 - image


નવી દિલ્હી, 3 જાન્યુઆરી 2020, શુક્રવાર

સમય સૌથી બળવાન છે તેવું કહેવાય છે. સમયનું ચક્ર સતત ચાલતું રહે છે. આ ચક્રને કાલ ચક્ર કહેવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો તેનો અર્થ થાય છે નિરંતર ચાલતું ચક્ર. દરેક માણસના જીવનમાં સારો અને ખરાબ સમય આવતો જ રહે છે. પરંતુ જે વ્યક્તિ ખરાબ સમય પર વિજય પ્રાપ્ત કરી અને જીવનમાં સફળ થાય છે. જ્યારે વ્યક્તિ ખરાબ સમયને પોતાના ઉપર હાવી થઈ જવા દે છે તેનું પતન થાય છે. 

જાણો શું હોય છે સમયચક્ર અને કેવી રીતે નક્કી થયા 12 મહિના અને વારના નામ ? 2 - imageમનુષ્ય હંમેશા ભવિષ્યના ગર્ભમાં શું છે તે જાણવા ઉત્સુક રહે છે. આ જ કારણ છે કે મનમાં પ્રશ્ન થાય છે કે સમયની ગણના કેવી રીતે થાય છે, ઋતુઓનું પરિવર્તન કેવી રીતે થાય છે, સમય ચક્ર શું છે વગેરે વગેરે. આજે આપણે મનમાં દુવિધા ઊભી કરતા આ પ્રશ્નોનું સમાધાન મેળવવાનો પ્રયત્ન કરીએ. 

ભારતીય વિદ્વાનો અનુસાર કાલચક્રની ગણના

જાણો શું હોય છે સમયચક્ર અને કેવી રીતે નક્કી થયા 12 મહિના અને વારના નામ ? 3 - imageપ્રાચીન વિદ્વાનોએ કાલચક્રનું વર્ણન કરતા કાળની સૌથી નાની ઈકાઈ પરમાણુ ગણાવી છે. વાયુ પુરાણમાં કરેલા વર્ણન અનુસાર બે પરમાણુ મળી એક અણુનું નિર્માણ કરે છે. તેને આ રીતે સમજી શકાય છે. 

2 પરમાણુથી 1 અણુ

3 અણુથી 1 ત્રસરેણુ

3 ત્રેસરેણુથી 1 ત્રટિ

100 ત્રુટિથી 1 વેધ

3 વેધથી 1 લવ

જાણો શું હોય છે સમયચક્ર અને કેવી રીતે નક્કી થયા 12 મહિના અને વારના નામ ? 4 - image3 લવથી એક નિમેષ એટલે કે એક ક્ષણ બને છે.  આ જ રીતે ત્રણ નિમેષથી એક કાષ્ઠા બને છે. 15 કાષ્ઠાથી એક લઘુ અને 15 લઘુથી એક નાડિકા, બે નાડિકાથી એક મુહૂર્ત, 6 નાડિકાથી એક પ્રહર તથા આઠ પ્રહર મળી અને એક દિવસ અને રાતનું નિર્માણ થાય છે. 

શું છે ઉત્તરાયણ અને દક્ષિણાયન ?

એક મહિનામાં 15 15 દિવસના બે પક્ષ હોય છે જેમાં એક શુક્લ અને એક કૃષ્ણ પક્ષ હોય છે. આ રીતે વર્ષમાં બે આયન હોય છે. જેને દક્ષિણાયન અને ઉત્તરાયણ કહે છે. 

કેવી રીતે નક્કી થયા 12 મહિનાના નામ

વૈદિક કાલમાં મહિનાઓના નામ ઋતુઓના નામ પર રાખવામાં આવ્યા હતા પરંતુ પછીથી તેને બદલી અને નક્ષત્રોના આધારે કરી દેવામાં આવ્યા. જે છે ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, અશ્વિન, કારતક, માર્ગશીર્ષ, પૌષ, મહા અને ફાગણ. કાલ ખંડોને પણ નિશ્ચિત નામ આપવામાં આવ્યા અને દિવસના નામ ગ્રહોના નામ પરથી રાખવામાં આવ્યા હતા. જે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ છે. 

શું છે માનવ વર્ષ અને દિવ્ય વર્ષ ?

પ્રાચીન સાહિત્યમાં કાલ ગણના અનુસાર માનવ વર્ષ અને દિવ્ય વર્ષનો ઉલ્લેખ મળે છે. માનવ વર્ષ મનુષ્યોનું વર્ષ હોય છે જે સામાન્ય રીતે 360 દિવસનું હોય છે. તેમાં દિવસોનો વધારો અને ઘટાડો થતો રહે છે. તેમાં 6 માસ દિવસ અને 6 માસ રાત્રિ રહે છે. માણસના 360 વર્ષ મળે ત્યારે દેવતાઓનું એક વર્ષ બને છે. 

Tags :