Get The App

સંતાન પ્રાપ્તિ માટે અવશ્ય કરો શ્રાવણ પુત્રદા એકાદશી, તમામ મનોકામના થશે પૂરી

Updated: Sep 2nd, 2018

GS TEAM


Google News
Google News
સંતાન પ્રાપ્તિ માટે અવશ્ય કરો શ્રાવણ પુત્રદા એકાદશી, તમામ મનોકામના થશે પૂરી 1 - image

અમદાવાદ, તા. 3 સપ્ટેમ્બર 2018 સોમવાર

ભારતીય પરંપરામાં એકાદશી તિથિનું ખાસ મહત્વ છે. તે પછી કૃષ્ણ પક્ષ હોય કે શુક્લ પક્ષની એકાદશીનું ખાસ મહત્વ હોય છે. એકાદશીનો ઉપવાસ કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે.

શ્રાવણ અને પોષ માસની એકાદશીનું મહત્વ એક સમાન માનવામાં આવે છે. આ એકાદશીને સંતાન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ માસની એકાદશીને શ્રાવણ પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. 

શ્રાવણ પુત્રદા એકાદશી વ્રત કથા

બધી એકાદશીઓના મહત્વ વિશે પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રાવણ પુત્રદા વ્રતની કથા કંઈક આ પ્રકારની છે. વાત તે સમયની છે જ્યારે યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી એકાદશી વ્રતનું મહત્વ અને તેની કથા વિશે જાણવા માગતા હતા. 

તેમને એકાદશીનું મહત્વ સમજાવાનો આગ્રહ ભગવાન શ્રીકૃષ્ણએ કર્યો હતો. ત્યારે શ્રીકૃષ્ણએ શ્રાવણ શુક્લ એકાદશીની કથા કહી હતી. શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે શ્રાવણ શુક્લ એકાદશીને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. 

બહુ પહેલાના સમયની વાત છે. લગભગ દ્વાપર યુગના પ્રારંભમાં, માહિષ્મતિ નામની એક નગરી હતી, જેમાં બહુ ધાર્મિક અને પરોપકારી રાજા મહીજિતનું રાજ્ય હતું.

રાજા પોતાની પ્રજાને પુત્રની જેમ પ્રેમથી રાખતા હતા, તેમની સુખ-સુવિધાનો, ન્યાયનો, બ્રાહ્મણોના સન્માન, દાન-પુણ્યનું બધા પ્રકારની જાણકારી રાખતા હતા. બધું સારી રીતે ચાલી રહ્યુ હતુ પરંતુ લગ્નના કેટલાંક વર્ષો વિતાવ્યા પછી પણ તેમને કોઈ સંતાન નહતું.

આ વાત રાજા મહીજિતને હંમેશા હેરાન કરતી હતી. જેવી રીતે ઉંમર વીતી રહી હતી એના લીધે રાજા ચિંતામાં રહેતો હતો. પછી એક દિવસ રાજાના દરબારમાં જ્ઞાની બ્રાહ્મણો, પુજારી-પુરોહિતને બોલાવવામાં આવ્યા. પ્રજાની સમક્ષ રાજાએ વિન્રમતાથી કહ્યું કે, હેં જ્ઞાનિઓ, પ્રજા, બ્રાહ્મણ દેવતાઓ જ્યારથી હું સમજણો થયો છું ત્યારથી લઈને અત્યાર સુધી હું રાજ્યની જવાબદારી સંભાળતા એક દાયકો થઈ ગયો છે. મે ક્યારેય પણ અધર્મનું કોઈ કાર્ય નથી કર્યુ.

ધર્મ, કર્મ, દાન, પુણ્ય, ન્યાય અન્યાયનો હંમેશા વિચાર મને આવે છે. તે પણ સાચું છે કે મારી પ્રજા મારા પુત્રના સમાન પ્રિય છે પરંતુ ભગવાને કયા કારણે મને સંતાન સુખ નથી આપ્યું.

પ્રજા પણ રાજાને સંતાન ન હોવાથી દુઃખી તો પહેલાથી હતી પરંતુ રાજાએ આ પ્રકારે પોતાની વ્યથા પ્રગટ કરતા પ્રજા વધારે દુઃખી થઈ ગઈ. રાજાએ વિદ્વાન બ્રાહ્મણો પુરોહિતને વિનંતી કરી કે કોઈ ઉપાય જણાવે કે કેવી રીતે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળી શકે છે. 

રાજા એટલા ધર્માત્મા હતા કે તેમાં કોઈ પાપ જોવા નહતું મળતુ તો તેઓ રાજાને કેવી રીતે સમજાવી શકે. ત્યારે કોઈએ કહ્યું કે, તેના માટે આપણે મુનિ લોમેશની મદદ લેવી જોઈએ. તેઓ તે સમયના સર્વશ્રેષ્ઠ મુનિ હતા, સનાતન ધર્મની કોઈપણ સમસ્યાને દૂર કરવામાં તેઓ સૌથી સહાયક છે. 

તેના પછી બધા જઈને મુનિ લોમેશને પ્રણામ કર્યા. તેમજ ઋષિ તો અંતર્યામી હતા પછી તો કંઈ પૂછવા જેવુ હતુ જ નહીં તેમને કહ્યું કે શું તકલીફ છે હું તમારી જરૂરથી મદદ કરીશ મારો હેતુ લોકોની મદદ કરવાનો છે. 

બધા વિદ્વાનો પ્રજાજનોએ પોતાની વ્યથા પ્રગટ કરી કે તેમના ધર્માત્મા રાજા પર આ કેવુ સંકટ છે અને કેવી રીતે તેઓ આ સમસ્યાથી બહાર નીકળી શકે છે. મુનિએ એક ક્ષણ માટે પોતાની આંખો બંધ કરી અને કહ્યું કે પૂર્વ જન્મમાં રાજા એક બહુ ગરીબ વેપારી હતો, છળ અને પાપકર્મોથી તેને સંપતિ ભેગી કરી હતી, પરંતુ જેઠ મહિનામાં દ્વાદશીના મધ્યાહનના સમય હતો ત્યારે તે સમયે તે બે દિવસથી ભૂખ્યો તરસ્યો હતો, તેને એક જળાશય દેખાયુ, ત્યા એક ગાય પણ પાણી પી રહી હતી, ત્યારે ગાયને ત્યાંથી દૂર કરી પોતાની તરસ છીપાવી. 

અજાણતા એકાદશીનો ઉપવાસ કરવાથી તે રાજા બની ગયો અને તરસી ગાયને જળ પીવાથી રોકતા તે સંતાનહીન છે. આ જાણીને બધા દુઃખી થઈ ગયા અને કહ્યું કે મુનિવર આ પાપનું પ્રાયશ્ચિત કરવાનો કોઈ રસ્તો તો તમને ખબર હશે જ તો અમને કોઈ ઉપાય જણાવો જેથી અમે રાજાના આ સંકટને દૂર કરી શકીએ. 

ત્યારે તેમને કહ્યું કે એક ઉપાય છે જો બધી પ્રજા મળીને શ્રાવણ શુક્લ એકાદશી જે પુત્રદા એકાદશી પણ હોય છે. તે ઉપવાસ કરીને રાતે જાગરણ કરીને બીજા દિવસે પારણા કરે તો તેનું પુણ્ય રાજાને મળે તો પુત્ર પ્રાપ્તિ થઈ શકે છે.

મુનિના આશીર્વાદ લઈને બધા પાછા આવ્યા. થોડાક દિવસ પછી શ્રાવણ શુક્લ એકાદશીનો દિવસ આવ્યો ત્યારે વિધિ અનુસાર ઉપવાસ રાખી અને મુનિના બતાવ્યા અનુસાર વ્રતનું પુણ્ય રાજાને આપ્યું, જલ્દી રાણી ગર્ભવતી થઈ અને માહિષ્મતિને તેજસ્વી પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ.

માન્યતા છે કે શ્રાવણ શુક્લ એકાદશીની કથા સાંભળવાથી તમામ પાપોથી મુક્તિ મળી જાય છે. આ લોકમાં તો ભૌતિક સુખ-સુવિધા મળે છે પણ પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ શુક્લ એકાદશી વ્રત વિધિ

એકાદશી વ્રતની તૈયારી દશમની તિથિથી શરૂ થાય છે. દશમના દિવસે સાત્વિક આહાર લેવો. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ થઈને વ્રતનું સંકલ્પ લઈ અને ભગવાન વિષ્ણુના બાળ ગોપાલ રૂપની પૂજા કરવી જોઈએ.

તેમજ કથા સાંભળવી જોઈએ. રાતે ભજન કિર્તન કરતા જાગરણ કરવુ. તેના પછી દ્વાદશીના દિવસે સૂર્યોદયની સાથે પૂજા સંપન્ન કરવી. તેના પછી વ્રત ખોલતા પહેલા કોઈ ભૂખ્યા કે જરૂરિયાતવાળી વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન કરાવું અને દાન-દક્ષિણા આપવી. 

Tags :