Astro

વાસ્તુ ટિપ્સ: ઘરમાં આ દિશામાં ન લગાવવી જોઈએ ઘડિયાળ, અશુભ પ્રભાવના કારણે શરૂ થશે 'ખરાબ સમય'

By GS TEAM
11 Jul 20252 mins read
TukuTouch Logo
દરેક માનવી સમયનું મહત્ત્વ જાણે છે. જે સમયની કદર નથી કરતો, તેની કદર સમય કરતો નથી એવું કહેવાય છે. ઘડિયાળથી જ સમય જાણી શકાય છે, તેથી ઘડિયાળ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ઘડિયાળ ફક્ત આપણો સમય જ નહીં પણ આપણા જીવન પર પણ ખૂબ અસર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય દિશામાં રાખેલી ઘડિયાળ વ્યક્તિને શક્તિશાળી બનાવે છે અને વ્યક્તિનું ભાગ્ય પણ બદલી નાખે છે. જો તેને ખોટી જગ્યાએ મૂકવામાં આવે તો તે વ્યક્તિના જીવન પર પણ અશુભ અસર કરે છે. એવામાં જાણીએ કે ઘરમાં ઘડિયાળ ક્યાં અને કઈ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાસ્તુ ટિપ્સ: ઘરમાં આ દિશામાં ન લગાવવી જોઈએ ઘડિયાળ, અશુભ પ્રભાવના કારણે શરૂ થશે 'ખરાબ સમય'

Vastu Tips of Wall Clock: દરેક માનવી સમયનું મહત્ત્વ જાણે છે. જે સમયની કદર નથી કરતો, તેની કદર સમય કરતો નથી એવું કહેવાય છે. ઘડિયાળથી જ સમય જાણી શકાય છે, તેથી ઘડિયાળ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ઘડિયાળ ફક્ત આપણો સમય જ નહીં પણ આપણા જીવન પર પણ ખૂબ અસર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય દિશામાં રાખેલી ઘડિયાળ વ્યક્તિને શક્તિશાળી બનાવે છે અને વ્યક્તિનું ભાગ્ય પણ બદલી નાખે છે. જો તેને ખોટી જગ્યાએ મૂકવામાં આવે તો તે વ્યક્તિના જીવન પર પણ અશુભ અસર કરે છે. એવામાં જાણીએ કે ઘરમાં ઘડિયાળ ક્યાં અને કઈ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે.

ઘરમાં ઘડિયાળ ક્યાં અને કઈ દિશામાં રાખવી શુભ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં ઘડિયાળ લટકાવવા માટે ઉત્તર અને પૂર્વ દિશાઓ સૌથી યોગ્ય છે. ધનના દેવતા કુબેર ઉત્તર દિશાનું શાસન કરે છે. જ્યારે સૂર્યનું સ્થાન પૂર્વ દિશામાં છે. બધા દેવી-દેવતાઓ ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખૂણામાં રહે છે તેવું માનવામાં આવે છે. તેથી, આ દિશાઓને અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમે ઉત્તર અને પૂર્વ દિશામાં ઘડિયાળ લટકાવશો, તો તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. બાકી રહેલા કામ પૂર્ણ થવા લાગે છે. ઘરમાં પ્રેમ અને સ્નેહ વધે છે. સંપત્તિ અને સમૃદ્ધિ વધે છે. ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે.

પશ્ચિમ દિશામાં દિવાલ ઘડિયાળ લટકાવવી

જો કોઈ કારણોસર ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં ઘડિયાળ લટકાવવી શક્ય ન હોય, તો તમે પશ્ચિમ દિશામાં પણ ઘડિયાળ લટકાવી શકો છો. પશ્ચિમ દિશામાં ઘડિયાળ લટકાવવાથી કોઈ ફાયદો નથી, પણ કોઈ નુકસાન પણ નથી.

દક્ષિણ દિશામાં ઘડિયાળ લટકાવવી એ સૌથી અશુભ છે

વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં ઘડિયાળ લટકાવવી એ સૌથી અશુભ છે. દક્ષિણ દિશાને મૃત્યુના દેવતા યમરાજની દિશા માનવામાં આવે છે. આ એક અશુભ દિશા છે અને આ દિશામાં લટકાવેલી  ઘડિયાળ અથવા દક્ષિણ તરફ મુખ કરીને લટકાવેલી દિવાલ ઘડિયાળ જીવનમાં મુશ્કેલી લાવી શકે છે. આ સાથે ઘરમાં ગરીબી આવે છે. રોગોનો પ્રકોપ પણ વધે છે. તેથી ક્યારેય દક્ષિણ દિશામાં ઘડિયાળ મૂકવાની ભૂલ ન કરો.