Get The App

ઘરમાં આ ત્રણ જગ્યાએ ભૂલથી પણ ચાવીઓ ના મૂકવી જોઈએ, નહીં તો થઈ શકે છે વાસ્તુ દોષ

Updated: May 2nd, 2024

GS TEAM

Google News
Google News
ઘરમાં આ ત્રણ જગ્યાએ ભૂલથી પણ ચાવીઓ ના મૂકવી જોઈએ, નહીં તો થઈ શકે છે વાસ્તુ દોષ 1 - image


Image:Freepik

Vastu tips: મુખ્ય દરવાજાથી લઈને કબાટ સુધીની દરેક વસ્તુને સુરક્ષિત રાખવા માટે તમામ ઘરોમાં તાળા અને ચાવીનો ઉપયોગ સામાન્ય છે. બધા ઘરોમાં તે ચાવીઓ રાખવા માટે સલામત જગ્યા હોય છે, જ્યાં તે સરળતાથી મળી શકે છે. ચાવીઓ તેમની યોગ્ય જગ્યાએ રાખવાને બદલે, લોકો હંમેશા અહીં તહીં રાખે છે. આવી સ્થિતિમાં ચાવીને શોધવામાં જ સમયનો વ્યય થતો નથી પરંતુ સમયની સાથે વાસ્તુ દોષો પણ સર્જાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે વાસ્તુના નિયમો અનુસાર ચાવીઓ રાખો છો, તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને તે પુણ્યકારક પરિણામ આપે છે. જ્યારે ચાવીને ખોટી જગ્યાએ રાખવાથી વ્યક્તિને નુકસાનનો સામનો કરવો પડે છે. 

વાસ્તુના દૃષ્ટિકોણથી, ચાવીઓ તેમની જગ્યાએ ન હોવી તે સારું માનવામાં આવતું નથી. ચાવી ક્યાં અને કેવી રીતે રાખવી યોગ્ય છે? 

1. ચાવીઓને હંમેશા સાચી દિશામાં રાખો. દુકાન અને ઓફિસની ચાવી હંમેશા ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે. તમારે તિજોરીની ચાવી દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. આ ખૂબ જ સારી દિશા માનવામાં આવે છે, તેનાથી આશીર્વાદ મળે છે.

2. ચાવી ખોવાઈ જશે એવું વિચારીને આપણે ઘણી વાર પૂજા સ્થળે નાની સાઈઝની ઘરની ચાવી રાખીએ છીએ. પરંતુ વાસ્તુ અનુસાર પૂજા સ્થાન પર ચાવીઓ ક્યારેય ન રાખવી જોઈએ. આમ કરવાથી મન પૂજાથી વિચલિત થવા લાગે છે. તેથી ક્યારેય પણ પૂજા સ્થાન પર ચાવી ન રાખો.

3. બ્રહ્મ સ્થાન પર ચાવીઓ રાખવાથી નકારાત્મકતામા વધારો થાય છે. તેનાથી તમારા ઘરમાં નકારાત્મકતા પેદા થાય છે કારણ કે ચાવીઓ ધાતુની બનેલી હોય છે અને જ્યારે તેને બ્રહ્મ સ્થાનમાં રાખવામાં આવે છે તો તેની વિપરીત અસર થવા લાગે છે. આ સિવાય ઘરમાં પરસ્પર સંબંધો પર પણ તેની ખરાબ અસર પડે છે અને પરેશાનીઓ સર્જાય છે.

4. ઘરની ચાવીઓ ઉત્તર-પૂર્વ ખૂણામાં ન રાખવી જોઈએ કારણ કે, આપણે ચાવીઓ સાફ કરતા હોતા નથી. તે એકદમ ગંદા હોય છે. આવી ગંદી ચાવીઓ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખીએ તો તે દૂષિત થવાની સંભાવના રહે છે. ધાતુની વસ્તુઓ ક્યારેય ઉત્તર-પૂર્વ ખૂણામાં ન રાખવી.

Tags :