વાસ્તુ ટિપ્સ : આ 3 જગ્યાઓ પર ભૂલીને પણ પૈસા ન રાખતાં, નહીંતર માતા લક્ષ્મી થશે નારાજ!
Vastu Tips: આનંદદાયક અને સમૃદ્ધ જીવન જીવવાનીની ઈચ્છા દરેકને હોય છે, પરંતુ ઘણી વખત ખૂબ જ મહેનત કરવા છતાં પણ પૈસા ઘરમાં નથી ટકતા. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. માન્યતા છે કે, આ નિયમો જીવનમાં અપનાવવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પૈસાની કમી નથી આવવા દેતા.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કેટલીક એવી જગ્યા હોય છે જ્યાં ભૂલથી પણ ક્યારેય પૈસા કે તિજોરી ન રાખવી જોઈએ. આવું કરવાથી આર્થિક તંગી તો આવે જ છે પરંતુ આ સાથે જ માતા લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ઘરમાં ત્રણ આ જગ્યા પર ભૂલથી પણ પૈસા ન રાખવા.
દક્ષિણ દિશામાં પૈસા ન રાખવા
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દક્ષિણ દિશા યમની દિશા કહેવાય છે. આ દિશામાં પૈસા રાખવાથી ઘરમાં દરિદ્રતા, દેવું અને પૈસાની તંગી આવે છે.
અંધારામાં તિજોરી ન રાખવી
ઘરની તિજોરી અથવા જ્યાં તમે પૈસા રાખો છો તે જગ્યા હંમેશા સ્વચ્છ અને પ્રકાશવાળી હોવી જોઈએ. અંધારા વાળા સ્થાન પર તિજોરી રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે.
બાથરૂમની નજીક તિજોરી ન રાખવી
તિજોરીને ક્યારેય પણ બાથરૂમ કે વોશરૂમની નજીક ન રાખવી જોઈએ. તે સ્થાન ગંદકી અને નકારાત્મકતાનું પ્રતીક હોય છે, જેના કારણે ઘરમાં પૈસા નથી ટકતા અને કામમાં અવરોધ આવે છે.
આ દિશામાં રાખો પૈસા
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની તિજોરી ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં હોવી જોઈએ, જ્યાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ હોય છે જેનાથી ધનની કમી અને આર્થિક તંગી દૂર થઈ શકે છે.