Vastu For Roti: મોટાભાગે ઘરોમાં ભોજન બનાવતી વખતે રોટલી ગણીને બનાવવામાં આવે છે, જેથી દરેક સભ્યને પૂરતા પ્રમાણમાં મળે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ગણીને રોટલી બનાવવી એ યોગ્ય માનવામાં નથી આવતું? આમ કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા પર અસર પડી શકે છે. વાસ્તુ અને જ્યોતિષ નિષ્ણાતોના મતે ગણીને રોટલી બનાવવી જીવનમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. ચાલો સમજીએ કે આવું શા માટે કહેવામાં આવે છે અને તેનાથી શું નુકસાન થઈ શકે છે.
રોટલીઓ કેમ ન ગણવી જોઈએ?
વાસ્તુશાસ્ત્ર માને છે કે, અન્નને ગણવું એ અછત દર્શાવે છે. તે દર્શાવે છે કે, વ્યક્તિ મનમાં અભાવનો ડર રાખે છે. એવું માનવામાં આવે છે કે રોટલી ગણવાથી અન્નની દેવી અન્નપૂર્ણા અને ધનની દેવી લક્ષ્મીનું અપમાન થાય છે. તેથી, રોટલી ગણીને બનાવવી કે પીરસવી એ અશુભ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, રોટલી ગણીને બનાવવાથી આવક ઓછી થાય છે અને ખર્ચમાં વધારો થાય છે. આ સાથે જ ઘરમાં પૈસાની તંગી અને આર્થિક સમસ્યાઓ પણ થઈ શકે છે. આનાથી ઘરમાં ભોજનનો આદર ઓછો થવા લાગે છે અને અન્નની બરકત ખતમ થઈ જાય છે. રોટલી ગણવાથી ઉત્પન્ન થતા વાસ્તુ દોષના કારણે નાની-નાની બાબતો પર ઝઘડા વધી શકે છે. રસોડામાં નકારાત્મક ઉર્જા વધે છે, જે આખા ઘરના માહોલને અસર કરે છે.
રસોઈ બનાવતી વખતે મનને શાંત રાખો
રોટલી બનાવતી વખતે ધ્યાન રાખવું કે, તમને જરૂર હોય તેટલી જ બનાવો. રસોઈ બનાવતી વખતે મનને શાંત રાખો, ગુસ્સો કે તણાવ ટાળો. વાસી રોટલી ફેંકી દેવાને બદલે તેને જરૂરિયાતમંદોને કે પ્રાણીઓને આપી દો. રસોડામાં ખોરાકનો આદર કરો.
પહેલી રોટલી ગાયને ખવડાવવી
જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો, તો તમે તમારા ઘરમાં વાસ્તુ દોષોથી બચી શકો છો અને જીવનની સમસ્યાઓ ઘટાડી શકો છો. એવું માનવામાં આવે છે કે, પહેલી રોટલી ગાયને ખવડાવવી શુભ હોય છે. ત્યારબાદ બધા માટે રોટલી બનાવો, પરંતુ તેને ગણશો નહીં. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને કૌટુંબિક કાર્યો સરળતાથી પૂર્ણ થાય છે.


