તુલસી વિવાહ ક્યારે? જાણો દેવઉઠી એકાદશીની તારીખ અને લગ્ન માટેના શુભ મુહૂર્ત
વર્ષ 2023માં ક્યારે છે તુલસી વિવાહ, જાણો આ શુભ દિવસે લગ્નનુ શુભ મુહૂર્ત, દેવઉઠી એકાદશીનું મહત્વ
Image Twitter |
તા. 21 જુલાઈ 2023, શુક્રવાર
એક વર્ષમાં કુલ 24 અગિયારસ મનાવવામાં આવે છે, જેમાંથી દર મહિને 2 અગિયારસઓ મનાવવામાં આવે છે. એક કૃષ્ણ પક્ષની એકાદશી અને બીજી શુક્લ પક્ષની એકાદશી મનાવવામાં આવે છે. અને તેમા તુલસી વિવાહ વિશે વાત કરીએ તો તે કારતક મહિનામાં આવતી દેવઉઠી અગિયારસના દિવસે કરવામાં આવે છે. આ દિવસે વિષ્ણુ ભગવાન યોગ નિંદ્રામાંથી જાગે છે અને ભગવાન વિષ્ણુ અને માતા તુલસીના વિવાહ થાય છે. તુલસી વિવાહનુ ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે.
ચતુર્માસ 30 જૂન, 2023 ના રોજ દેવશયની એકાદશી સાથે શરૂ થાય છે, આ દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાં જાય છે. આવનારા 4 મહિના સુધી કોઈ શુભ કાર્ય થતું નથી. 23 નવેમ્બર 2023 ને ગુરુવારે દેવઉઠી એકાદશીના દિવસે પૂરું થાય છે. આ પછી શુભ કાર્યો કરવામાં આવતા હોય છે.
દેવઉઠી એકાદશીના શુભ મુહૂર્ત (2023) :
આ વર્ષે, 23 નવેમ્બર 2023, ગુરુવારે, કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ સાંજે 5:09 વાગ્યે શરૂ થશે.
તે 24 નવેમ્બર 2023, શુક્રવારે સાંજે 7:45 વાગ્યે સમાપ્ત થાય છે.
આ શુભ મુહૂર્ત સાથે તુલસી વિવાહ 24 નવેમ્બર 2023 ને શુક્રવાર ના દિવસે થાશે. તમે તમારા ઘરે પણ ભગવાન શાલીગ્રામ અને માતા તુલસીના વિવાહ કરી શકો છો. આ કરવાથી તમારા ઘર માં સુખ સમૃદ્ધિ આવશે કારતક મહિના નુ ખુબ મહત્વ હોય છે. આ મહિના માં આવતા બધા વ્રત અને તહેવારો નું પણ ખુબ મહત્વ હોય છે.
તુલસી વિવાહનું શુભ મુહૂર્ત (2023) :
- તુલસી વિવાહ માટે અભિજીત મુહૂર્ત 24 નવેમ્બર 2023, શુક્રવારે સવારે 11:43 થી 12:26 સુધી રહેશે.
- તુલસી વિવાહ માટે વિજય મુહૂર્ત 24 નવેમ્બર 2023, શુક્રવારે બપોરે 1:54 થી 2:38 વાગ્યા સુધી રહેશે.
- આ બે શુભ મુહૂર્તમાં ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ ખૂબ જ શુભ ફળ આપશે.