Get The App

Tulsi Vivah 2020 : જાણો, તુલસી વિવાહના મહત્ત્વ અને પૂજા વિધિ વિશે...

- દેવઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે

Updated: Nov 25th, 2020

GS TEAM


Google News
Google News
Tulsi Vivah 2020 : જાણો, તુલસી વિવાહના મહત્ત્વ અને પૂજા વિધિ વિશે... 1 - image

 નવી દિલ્હી, તા. 25 નવેમ્બર 2020, બુધવાર 

કારતક મહિનાના શુક્લ પક્ષની અગિયારસે તુલસી વિવાહ કરવામાં આવે છે. આ દિવસે દેવઉઠી અગિયારસ સ્વરૂપમાં પણ મનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની લાંબી નિંદ્રામાં ગયા બાદ જાગે છે અને તેમની સાથે જ બધા શુભ મુહૂર્ત ખુલી જાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામના લગ્ન તુલસી સાથે કરાવવામાં આવે છે. તુલસી વિવાહનો પર્વ આજે મનાવવામાં આવી રહ્યો છે. 

તુલસી વિવાહનું મહત્ત્વ 

તુલસી વિવાહનું આયોજન કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામની સાથે તુલસીના લગ્ન કરાવનાર વ્યક્તિના જીવનથી તમામ કષ્ટ દૂર થઇ જાય છે અને તેના પર ભગવાન હરિની વિશેષ કૃપા થાય છે. તુલસી વિવાહને કન્યાદાન જેટલા પુણ્ય જેવું માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તુલસી વિવાહ સંપન્ન કરનારને વૈવાહિક સુખ મળે છે. 

તુલસી વિવાહની પૂજા વિધિ

એક ચોકી પર તુલસીના છોડ અને બીજી ચોકી પર શાલિગ્રામને સ્થાપિત કરો. તેની બાજુમાં એક પાણી ભરેલું કળશ રાખો અને તેની ઉપર આંબાના પાંચ પાંદડાં રાખો. તુલસીના કુંડાંમાં ગેરૂ લગાઅઓ અને ઘીનો દીવો પ્રગટાવો. તુલસી અને શાલિગ્રામ પર ગંગાજળનો છંટકાવ કરો અને રોલી, ચંદનનું તિલક કરો. તુલસીના કુંડામાં જ શેરડીથી મંડપ બનાઓ. હવે તુલસીને લાલ ચુંદડી ઓઢાડવામાં આવે છે. કુંડાંને સાડી લપેટીને, ચુંદડી ચઢાઓ અને તેમનું દુલ્હનની જેમ શ્રૃંગાર કરો. ત્યારબાદ શાલિગ્રામની ચોકી સહિત હાથમાં લઇને તુલસીની સાતવાર પરિક્રમા કરવામાં આવે છે. ત્યારબાદ આરતી કરો. તુલસી વિવાહ સંપન્ન થયા બાદ બધાને પ્રસાદ આપો. 

Tags :