Get The App

જન્માષ્ટમીના આગામી દિવસે જ સૂર્યનું રાશિ પરિવર્તન થશે, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઊઠશે

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
જન્માષ્ટમીના આગામી દિવસે જ સૂર્યનું રાશિ પરિવર્તન થશે, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઊઠશે 1 - image


Surya Gochar 2025: દર વર્ષે જન્માષ્ટમીનો પર્વ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે અને આ વખતે જન્માષ્ટમી 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. જન્માષ્ટમીનો દિવસ દરેક માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બીજી તરફ હવે જન્માષ્ટમીના બીજા જ દિવસે એટલે કે 17 ઓગસ્ટના રોજ સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણ અને સૂર્યદેવની કૃપાથી ઘણી રાશિઓને લાભ થશે. 

સિંહ રાશિ

જન્માષ્ટમીના આગામી દિવસે સૂર્યનું ગોચર સિંહ રાશિના જાતકોના જીવનમાં નવીનતા લાવશે. આ સમય સિંહ રાશિના જાતકો માટે ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે. કોઈ સારા સમાચાર મળી શકે છે. સિંહ રાશિના જાતકોના વ્યવસાયમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. જીવનમાં ખુશીઓ આવશે. ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહ્યું છે. આવકમાં વધારો થશે. અટકેલા કામ પૂરા થશે. પૈસા કમાવા માટે નવા રસ્તા ખુલશે. 

આ પણ વાંચો: અમદાવાદમાં ડિમોલિશન કરવા પહોંચેલી AMCની ટીમ પર પથ્થરમારો, મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે.

Tags :