કર્ક-મકર સહિત આ 3 રાશિના જાતકોને થશે અઢળક ધનલાભ, સૂર્ય-શનિ બનાવશે શક્તિશાળી યોગ
વૈદિક પંચાંગ મુજબ 23 જૂનની બપોરે 1.57 કલાકે સૂર્ય શનિ એકબીજાથી 90 ડિગ્રી પર બિરાજમાન થશે, જે કેન્દ્ર યોગનું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને શનિને એકબીજાના દુશ્મન માનવામાં આવે છે. પરંતુ સૂર્ય અને શનિની આ યુતિ કેટલાક જાતકો માટે શુભ માનવામાં આવે છે.
મેષ રાશિ:
મેષ રાશિના જાતકો માટે સૂર્ય અને શનિની યુતિ નાણાકીય લાભ અપાવશે. માન સમ્માન વધશે.ઝડપી ધનની વૃદ્ધિ થશે. વિદેશ યાત્રા શક્ય બને. જોકે ખર્ચ વધશે પરંતુ સામે આવક પણ વધશે. અટકેલા પૈસા મળી શકે છે અને બેંક બેલેન્સમાં વધારો થશે. આ સાથે નવા લોકો સાથે સારા સંબંધો બનશે. વ્યાપારી વર્ગ માટે મોટો નફો થઈ શકે છે. આ ઉપરાંત સ્વાસ્થ્યમાં સુધારો થાય.
કર્ક રાશિ:
કર્ક રાશિના લોકો માટે સૂર્ય શનિના આ યુતિ શુભ પરિણામ આપે. લગ્નજીવન સારું રહેશે. જાતકોને ભાગ્યનો પુરો સાથ મળી રહે. કોઈ યાત્રા પર જવાનું થાય. કરિયરમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય. તેમજ અચાનક કોઈ ધનની પ્રાપ્તિ થાય. તમારી જૂની બધી સમસ્યાઓમાંથી રાહત મળશે. નોકરીમાં તમને નવી તકો મળશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે સૂર્ય શનિનો કેન્દ્ર યોગ અતિ લાભકારી સાબિત થઈ શકે છે. કોઈ નાની મોટી મિલકત અથવા ગાડી ખરીદવાની તક મળી શકે છે, જેના કારણે ભવિષ્યમાં તમને ફાયદો થશે. મહેનતનું પૂરો લાભ મળી રહે. વ્યવસાયમાં મોટો નફો થશે, જેનાથી ભાગીદારો સાથેના સંબંધો સુધરશે. મકર રાશિના જાતકોને નવી નોકરી મળી શકે છે. વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે. લોકો તમારા વ્યક્તિત્વથી પણ પ્રભાવિત થશે. સમાજમાં માન સમ્માન વધશે.