આ રહસ્મય મંદિર દિવસમાં બે વખત થઈ જાય છે અદ્રશ્ય
- જાણો... તેની પાછળનું કારણ
અમદાવાદ, તા. 21 જુલાઈ 2018 શનિવાર
ભગવાન શિવના કેટલાય મંદિરોનાં દર્શન તમે કર્યા હશે પરંતુ આજે તમને શિવજીના એવા મંદિર વિશે જણાવીશું જેના વિશે જાણીને તમને પણ ચોંકી જશો, ભગવાન શિવનું આ મંદિર દિવસમાં બે વખત ગાયબ થઈ જાય છે.
પોતાની આ ખાસિયતના કારણે આ મંદિર ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં આવનાર ભક્ત રોજ આ મંદિરને ગાયબ થતા જુએ છે.
આ મંદિર ગુજરાતના વડોદરાથી થોડેક દૂર જંબુસર જિલ્લાના કાવી ગામમાં સ્તંભેશ્વર મહાદેવ મંદિરના નામથી ઓળખાય છે. આ અદભૂત સ્તંભેશ્વર મહાદેવ મંદિરને ગાયબ મંદિર નામથી ઓળખાય છે.
આ કારણે ગાયબ થઈ જાય છે મંદિર
જો કે, આંખોની સામે ગાયબ થઈ જવાના થોડાક સમય પછી આ મંદિર પોતાની જગ્યાએ દેખાય છે. જો કે આ કોઈ ચમત્કાર નથી, પરંતુ પ્રકૃતિની એક મનોહારી પરિઘટના છે. સમુદ્ર કિનારા પર મંદિર હોવાના કારણે જ્યારે ભરતી આવે છે, ત્યારે મંદિર સમુદ્રમાં સમાય જાય છે.
આ કારણે લોકો મંદિરના દર્શન ત્યારે કરી શકે છે, જ્યારે સમુદ્રમાં ભરતી ઓછી થાય છે. આવું વર્ષોથી ચાલી આવે છે તે કંઈ નવી બાબત નથી.
ભરતીના સમયે સમુદ્રના પાણીમાં મંદિર અંદર જાય છે અને શિવલિંગનો અભિષેક કરીને પાછા આવે છે. આ ઘટના રોજ સવારે અને સાંજે થાય છે. અરબ સાગરના મધ્યમાં આવેલાં મંદિરને જોવા સમુદ્ર તટ પર ભક્તોની ભીડ ઉમટી પડે છે.
આવી રીતે મંદિરનું નિર્માણ થયું, જાનો સ્કંદપુરાણ અનુસાર કથા
સ્કંદપુરાણ અનુસાર આ મંદિરનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યુ અને તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ. તે આ કથા અનુસાર જણાવીશું.
રાક્ષસ તાડકાસુરે પોતાની કઠોર તપસ્યાથી શિવને પ્રસન્ન કર્યા હતા. જ્યારે શિવ તેમની સામે પ્રગટ થયા ત્યારે તેને વરદાન માંગ્યુ કે તેને માત્ર શિવજીનો પુત્ર જ મારી શકશે અને તે પણ છ દિવસનો હોવો જોઈએ.
શિવે તેને આ વરદાન આપી દીધું. વરદાન મળતા જ તાડકાસુરએ હાહાકાર મચાવાનો શરૂ કરી દીધો. દેવતાઓ અને ઋષિ મુનિઓ માટે આંતક ફેલાવી દીધો હતો. તેથી દેવતા લોકો મહાદેવની શરણમાં ગયા.
શિવ-શક્તિથી શ્વેત પર્વતના કુંડમાં ઉત્પન્ન થયેલા કાર્તિકેયના 6 મસ્તિષ્ક, ચાર આંખ, બાર હાથ હતા. કાર્તિકેય માત્ર છ દિવસના આયુષ્માં તાડકાસુરનો વધ કર્યો. જ્યારે કાર્તિકેયને ખબર પડી કે તાડકાસુર ભગવાન શંકરનો ભક્ત હતો, તો તે બહુ દુઃખી થઈ ગયા. પછી ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને ક્હ્યું કે તે વધ કર્યો તે જગ્યા પર શિવાલય બનાવી દે. તેનાથી તેનું મન શાંત થઈ જશે. ભગવાન કાર્તિકેયે આવું કર્યું પછી દેવતાઓએ મળીને મહિસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરી, જેને આજે સ્તંભેશ્વર તીર્થના નામથી ઓળખીએ છીએ.