Kartik Purnima 2025: દેશભરમાં 5 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવે છે. હિન્દુ પંચાંગમાં કારતક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે અને આ દિવસ વર્ષનો સૌથી શુભ અને પવિત્ર પૂર્ણિમા માનવામાં આવે છે. આ દિવસ દીપ દાન, દીવા પ્રગટાવવા અને સ્નાન કરવાનું પ્રતીક છે, જ્યારે ભક્તો ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા કરે છે. આ દિવસે ગંગામાં સ્નાન કરીને અને દીપ દાન કરી દીવા પ્રગટાવવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
ધાર્મિક દ્રષ્ટિકોણથી કાર્તિક પૂર્ણિમાને માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ જૈન ધર્મ, શીખ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાલો આ પાછળના કારણો શોધીએ.
આ પણ વાંચો: Dev Diwali 2025 : ત્રિપુરાસુરના વધ સાથે સંકળાયેલો છે દેવ દિવાળીનો પર્વ, જાણો પૌરાણિક કથા
1. હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું મહત્ત્વ
કાર્તિક પૂર્ણિમાને હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ અને શુભ દિવસ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુએ આ દિવસે મસ્ય અવતારનું રૂપ ધારણ કરીને બ્રહ્માંડનું રક્ષણ કર્યું હતું. ભગવાન શિવે આ દિવસે રાક્ષસ ત્રિપુરાસુરનો પણ વધ કર્યો હતો, તેથી તેને દેવ દિવાળી અથવા દેવતાઓની દિવાળી કહેવામાં આવે છે. આ દિવસે લોકો ગંગા, યમુના અથવા ગોદાવરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દીપદાન કરે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે કરવામાં આવેલા દાન અને પ્રાર્થનાથી હજાર ગણું ફળ મળે છે. આ દિવસે સાંજે ગંગાના બધા કિનારાઓ પર લાખો દીપ પ્રગટાવવામાં આવે છે, અને દેવતાઓ પાસેથી પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે આશીર્વાદ માંગવામાં આવે છે.
2. જૈન ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું મહત્ત્વ
જૈન ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. હકીકતમાં જૈન ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું મહત્ત્વ હોવાના વિશેષ કારણ બતાવવામાં આવ્યા છે. પહેલુ આ કાર્તિક પૂર્ણિમાથી જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થસ્થળ ગિરિરાજ પર્વત (શત્રુંજય તીર્થ) ની પવિત્ર યાત્રાની શરૂઆત છે. આ દિવસે હજારો ભક્તો ભગવાન મહાવીર અને તેમના મુખ્ય શિષ્ય ગૌતમ ગણધરને યાદ કરીને આ યાત્રા પર નીકળે છે.
આ ઉપરાંત જૈન ધર્મમાં આ દિવસ વધુ ખાસ છે કારણ કે આ તિથિએ મહાન સંત શ્રીમદ વિજય હેમચંદ્રાચાર્ય ભગવંતનો જન્મ થયો હતો. તેમની જન્મજયંતી શ્રદ્ધા અને ભક્તિથી ઉજવવામાં આવે છે. વધુમાં જૈન સાધુઓ અને સાધ્વીઓ પણ આ દિવસે તેમની યાત્રા શરૂ કરે છે.
3. શીખ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું મહત્ત્વ
કાર્તિક પૂર્ણિમા શીખ ધર્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે, કારણ કે આ દિવસે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવનો જન્મ થયો હતો. ગુરુ નાનક જયંતીને ગુરુ પર્વ અને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શીખો ગુરુદ્વારાઓને દીવા અને ફૂલોથી શણગારે છે. વધુમાં, શહેરોમાં સ્તોત્રો અને કીર્તનોનું આયોજન કરવામાં આવે છે અને લંગરનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો: Dev Diwali 2025 : આજે દેવ દિવાળી, જાણો શુભ મુહૂર્ત, પૂજાની વિધિ અને પૌરાણિક મહત્ત્વ
4. બૌદ્ધ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું મહત્ત્વ
કાર્તિક પૂર્ણિમા બૌદ્ધ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તે ઘણી ખાસ ઘટનાઓ સાથે સંકળાયેલી છે. હકીકતમાં, આ દિવસે બૌદ્ધ સેનાપતિ સારીપુત્રનું મહાપરિનિર્વાણ અને સમ્રાટ અશોકનું પરિનિર્વાણ થયું હતું. તો બૌદ્ધ ભિક્ષુઓ તેમનો વર્ષાવાસ સમાપ્ત કરે છે અને તેમને "કઠિન ચિવર દાન" આપવામાં આવે છે. વધુમાં આ દિવસ સ્વર્ગીય ક્ષેત્રમાંથી સંકિશામાં બૌદ્ધ અવતરણની ઉજવણી કરે છે. આ ઉપરાંત શ્રીલંકા, થાઇલેન્ડ અને મ્યાનમાર જેવા ઘણા બૌદ્ધ દેશોમાં આ દિવસે દીવા પ્રગટાવવા અને દાન કરવાની પરંપરા છે.


