Get The App

ગણેશ ચતુર્થીએ શુક્ર-વરુણની યુતિ, 3 રાશિના જાતકો થશે માલામાલ!

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
ગણેશ ચતુર્થીએ શુક્ર-વરુણની યુતિ, 3 રાશિના જાતકો થશે માલામાલ! 1 - image


Shukra Varun Yuti 2025: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન, સમૃદ્ધિ, એશ્વર્ય અને પ્રેમનો કારક માનવામાં આવે છે. શુક્ર લગભગ 26 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. હાલમાં શુક્ર કર્ક રાશિમાં બિરાજમાન છે અને 27 ઓગષ્ટ એટલે કે, ગણેશ ચતુર્થીના દિવસે શુક્ર અને વરુણની વચ્ચે નવપંચમ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. વાસ્તવમાં આ દિવસે શુક્ર અને વરુણ એક-બીજાથી 120 ડિગ્રી પર હશે, જેનાથી આ દુર્લભ યોગ બનશે. જ્યોતિષ પ્રમાણે આ સંયોગ કેટલીક ખાસ રાશિઓના જાતકોને માલામાલ કરી દેશે. ચાલો તો જાણીએ કે, કઈ રાશિઓ પર આ શુભ યોગનો વિશેષ પ્રભાવ પડશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ શુભ રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે. કારકિર્દીમાં નવી ઊંચાઈઓ હાંસલ થશે. તમને નવી તકોનો લાભ મળી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત થશે. પારિવારિક જીવન સુખી રહેશે. આ સમય તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ સંયોગ ખૂબ જ લાભદાયી સાબિત થશે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. લગ્નજીવન સુખી રહેશે. કાર્યસ્થળ પર તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે.

આ પણ વાંચો: ભારતની ત્રણ રેડ લાઈન્સ છે, જેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે', ટેરિફ મુદ્દે જયશંકરનો અમેરિકાને જવાબ

મીન રાશિ

મીન રાશિના જાતકોને આ દુર્લભ યોગથી બમ્પર લાભ થશે. જીવનના દરેક ક્ષેત્રમાં તમે પ્રગતિ કરી શકો છો. વ્યવસાયમાં અપાર લાભ મળવાની શક્યતા છે. નવી યોજનાઓથી સફળતા મળશે. લવ લાઈફમાં મીઠાશ વધશે. તમને દરેક પગલે ભાગ્યનો સાથ મળશે. માન-સન્માન વધી શકે છે.

Tags :