Get The App

18 વર્ષ બાદ રાહુ-શુક્રનો દુર્લભ યોગ, આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની કૃપા વરસશે

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
18 વર્ષ બાદ રાહુ-શુક્રનો દુર્લભ યોગ, આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની કૃપા વરસશે 1 - image

Shukra-Rahu Navpancham Rajyog 2025: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કળિયુગમાં રાહુને સૌથી પ્રભાવશાળી અને રહસ્યમયી ગ્રહ માનવામાં આવે છે. રાહુને 'કળિયુગનો રાજા' કહેવામાં આવે છે કારણ કે તે વ્યક્તિના કર્મ, ઈચ્છાઓ અને ભૌતિક સુખો પર ઊંડો પ્રભાવ પાડે છે. રાહુની ગતિ ખૂબ જ ધીમી હોય છે. તે કોઈ પણ રાશિમાં લગભગ 18 વર્ષ સુધી રહે છે અને બીજી વાર એ જ રાશિમાં આવવામાં પણ લગભગ એટલો જ સમય લે છે. હાલમાં રાહુ શનિની રાશિ કુંભમાં ગોચર કરી રહ્યો છે અને 2026ના અંત સુધી ત્યાં જ રહેશે. આ દરમિયાન તેણે શુક્ર સાથે મળીને એક દુર્લભ અને શક્તિશાળી નવપંચમ રાજયોગનું નિર્માણ કર્યું છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગ ત્યારે બને છે જ્યારે નવમા ભાવ (ભાગ્ય ભાવ) અને પાંચમા ભાવ (બુદ્ધિ અને સર્જનાત્મકતા) ના સ્વામી અથવા સંબંધિત ગ્રહો એકબીજા સાથે અનુકૂળ સ્થિતિમાં આવે છે. આ સંયોગ જીવનમાં ભાગ્ય વૃદ્ધિ, સમૃદ્ધિ, સફળતા અને અણધાર્યા લાભની તક આપે છે. હાલમાં શુક્ર પોતાની રાશિ તુલામાં પ્રવેશ કરી ચૂક્યો છે, જ્યારે રાહુ કુંભ રાશિમાં સ્થિત છે. તેમની વચ્ચેનો આ ખાસ સંબંધ ત્રણ રાશિઓ તુલા, કુંભ અને ધન માટે વિશેષ શુભ માનવામાં આવી રહ્યો છે. 

તુલા રાશિ

હાલમાં તુલા રાશિના લગ્ન ભાવમાં શુક્ર અને પાંચમા ભાવમાં રાહુ વિરાજમાન છે, જેનાથી નવ પંચમ રાજયોગ બની રહ્યો છે. આ સંયોગથી તુલા રાશિના જાતકોના કાર્યક્ષેત્ર અને કરિયરમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. સર્જનાત્મક કાર્ય, કલા, મીડિયા, ફેશન અને ડિઝાઈન સાથે સંકળાયેલા જાતકોને સફળતા મળી શકે છે. આ સમય આર્થિક રીતે પણ મજબૂત રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા અને જીવનમાં સંતુલન વધશે.

કુંભ રાશિ

કુંભ રાશિની કુંડળીમાં રાહુ લગ્ન ભાવમાં અને શુક્ર ચોથા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ યોગ ઘર, સંપત્તિ અને કરિયરમાં સુધારાનો સંકેત આપે છે. જે લોકો સંપત્તિ અથવા વાહન ખરીદવા માગે છે તેમના માટે આ સમય શુભ રહેશે. કરિયરમાં નવી દિશા અને આત્મવિશ્વાસ વધશે, બીજી તરફ પારિવારિક જીવનમાં ખુશીઓનું આગમન થશે. 

આ પણ વાંચો: પપ્પા-મમ્મી મને માફ કરી દેજો...' NEET સ્ટુડન્ટે આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટ પણ મળી

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે રાહુ-શુક્રનો નવપંચમ રાજયોગ ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે. રાહુ તૃતીય ભાવમાં અને શુક્ર એકાદશ ભાવમાં છે, જે સાહસ, પ્રયાસ અને લાભનો સંકેત આપી રહ્યો છે. વ્યાપાર વિસ્તાર, પ્રમોશન અને સામાજિક પ્રતિષ્ઠા વધવાની સંભાવના છે. અપરિણીત જાતકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.