Get The App

મંદિરમાંથી ચપ્પલ થાય ચોરી તો સમજી લેવું કે શરૂ થયો સારો સમય

Updated: Jan 22nd, 2020

GS TEAM

Google News
Google News
મંદિરમાંથી ચપ્પલ થાય ચોરી તો સમજી લેવું કે શરૂ થયો સારો સમય 1 - image


નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2020, બુધવાર

મંદિરમાંથી જૂતા ચોરી ન થાય તે વાતની ચિંતા સામાન્ય રીતે ભક્તોને સતાવતી હોય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂતાની ચોરી થવી તે શુભ શુકન માનવામાં આવે છે.

મંદિરમાંથી ચપ્પલ થાય ચોરી તો સમજી લેવું કે શરૂ થયો સારો સમય 2 - imageતેમાં પણ ખાસ કરીને શનિવારના દિવસે મંદિરમાંથી જૂતા ચોરી થાય તો માનવામાં આવે છે કે ખરાબ સમયથી મુક્તિ મળી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંદિરમાંથી જૂતા ચોરી થવાના અનેક પ્રકારના સંકેત કરે છે. કયા કયા શુભ સંકેત છે ચાલો જણાવીએ તમને.

1. મંદિરમાંથી જૂતા ચોરી થાય તો સમજી દેવું કે દરિદ્રતા દૂર થવાની છે. 

2. જૂતા ચપ્પલ ચોરી થવાથી ગ્રહ દોષનો પ્રકોપ પણ દૂર થાય છે. 

3. શનિવારએ જૂતા ગુમ થાય તો સમજી લેવું કે ખરાબ સમયનો અંત આવશે. 

4. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે જૂતા ચપ્પલ ચોરી શનિવારના દિવસે મંદિરમાંથી થાય તો ગ્રહ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

મંદિરમાંથી ચપ્પલ થાય ચોરી તો સમજી લેવું કે શરૂ થયો સારો સમય 3 - image

Tags :