Get The App

Shani Vakri : આવતા મહિનાથી શનિદેવની ચાલ બદલાશે, આ 4 રાશિના જાતકો માટે કષ્ટદાયક સમય

જૂન 2023માં શનિની કુંભ રાશિમાં વક્રી થશે

Updated: May 25th, 2023

GS TEAM


Google News
Google News
Shani Vakri : આવતા મહિનાથી શનિદેવની ચાલ બદલાશે, આ 4 રાશિના જાતકો માટે કષ્ટદાયક સમય 1 - image

શનિ હાલમાં કુંભ રાશિમાં સ્થિત છે અને 17મી જૂન 2023ના રોજ રાત્રે 10:48 વાગ્યે વક્રી થઈ રહ્યો છે. જૂન 2023માં શનિ કુંભ રાશિમાં વક્રી થશે અને આ સમયગાળો ચાર રાશિના જાતકો માટે કષ્ટદાયક સાબિત થઈ શકે છે. આ ચાર રાશિના જાતકોને તેમના કાર્યો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. શનિની વક્રી થવાને કારણે આ ચાર રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. જાણો આ ચાર રાશિઓનું રાશિફળ

મેષ રાશિ

મેષ રાશિના જાતકોએ આ સમયગાળામાં સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે. તમારે તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવું જોઈએ કારણ કે કામમાં વધારો થવાને કારણે તમને શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કર્ક રાશિ

કુંભ રાશિમાં શનિની વક્રી તમારી જન્મ કુંડળીના આઠમા ભાવમાં થશે. કર્ક રાશિના લોકોને આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે વધુ મહેનત કરવી પડી શકે છે પરંતુ તમારી મહેનતનું ધાર્યું પરિણામ નહીં મળે. આ ઉપરાંત લગ્નના જાતકોને ડ્રાઇવિંગ કરતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

તુલા રાશિ

કુંભ રાશિમાં શનિની વક્રી તુલા રાશિના જાતકોના વ્યાવસાયિક જીવનમાં પડકારો લાવી શકે છે. આ સમય દરમિયાન નોકરી બદલવાનો વિચાર ટાળી દેવો. તેમને તેમની માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની પણ સલાહ આપવામાં આવે છે.

કુંભ રાશિ

ગ્રહોની આ ચાલ શનિની પોતાની રાશિ કુંભમાં થશે, જે માનસિક દબાણમાં વધારો દર્શાવે છે. કુંભ રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ ક્ષેત્રમાં ઉતાવળા નિર્ણયો ન લે કારણ કે તે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેમને તેમના દાંપત્ય જીવનમાં પણ તણાવનો સામનો કરવો પડી શકે છે.

Tags :