શનિદેવને અતિપ્રિય છે આ તારીખે જન્મેલા લોકો, 40 વર્ષની ઉંમર બાદ અપાવે છે ધન અને વૈભવ
Shani Jayanti 2025: જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શનિને દંડાધિકારી કેહવામાં આવ્યા છે. કારણ કે તે વ્યક્તિના કર્મો પ્રમાણે ફળ આપે છે. એટલે કે, વ્યકિત જેવા કર્મો કરે છે તેવા ફળ આપે છે. એટલા માટે લોકો શનિદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતાં હોય છે અને તેમના ક્રોધથી ડરે છે. અંકશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શનિદેવ ચોક્કસ તારીખે જન્મેલા લોકો પર ખાસ કૃપા કરે છે.
વ્યક્તિનો મૂળાંક 8
શનિગ્રહનો નંબર 8 છે. એટલા માટે શનિ ગ્રહને 8 નંબર ખૂબ જ પ્રિય છે. અંકશાસ્ત્ર પ્રમાણે શનિ 8 નંબરનો સ્વામી છે તેથી વિશેષ કરીને શનિદેવ 8 નંબરના જાતકો પર મહેરબાન રહે છે.
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8,17, કે 26 તારીખે થયેલો છે, તેમનો મૂળાંક અંક 8 હશે. શનિના પ્રભાવને કારણે 8 અંક વાળા લોકો પ્રામાણિક, સારા વર્તનવાળા, મહેનતુ અને ન્યાયપ્રેમી હોય છે.
શરુઆતી જીવનમાં સંઘર્ષ
શનિદેવ સંઘર્ષ આપે છે, જેના કારણે આ લોકોનું શરૂઆતનું જીવન ખૂબ સંઘર્ષમય પસાર થાય છે. આ લોકોને સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડે છે, પરંતુ પછીથી શનિદેવ તેમને તેમનું ફળ આપે છે.
40 વર્ષ બાદ સફળતા આપે છે
40 વર્ષની ઉંમર પછી શનિ આ લોકોને મોટી સફળતા આપે છે. જેના કારણે આ લોકોના જીવનમાં અચાનક પરિવર્તન આવે છે. તેમને અતિશય ધન સંપત્તિ અને ખ્યાતિ મળે છે.
આ લોકો મગજ તેજ હોય છે
આ લોકો ઓછું બોલે છે પરંતુ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. આ ઉપરાંત તેઓ માનસિક રીતે ખૂબ જ મજબૂત છે. આ લોકો ફિલસૂફીને સારી રીતે સમજે છે. ઘણી વખત તેમના જીવનમાં ચમત્કારો પણ થાય છે. તેઓ હંમેશા બીજાઓને મદદ કરવાની ભાવના ધરાવે છે.
(ડિસ્ક્લેમર: વાચકમિત્રો, આ સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર માત્ર જાગૃતિ હેતુ લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. અમે આ સમાચારની પુષ્ટિ કરતાં નથી.)