Astro

શનિ અમાસે કરો તુલસી સંબંધિત આ ઉપાયો, શનિદેવના મળશે ભરપૂર આશીર્વાદ

By GS TEAM
20 Aug 20252 mins read
TukuTouch Logo
હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ મહત્વ છે અને તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શનિ અમાસની સંધ્યા આરતી પછી ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર તુલસીનું મૂળ લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ એક ઉપાયથી ઘરમાં ધન-સંપત્તિ આવશે અને દેવી લક્ષ્મી ઘરમાંથી ગરીબી દૂર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શનિ અમાસે કરો તુલસી સંબંધિત આ ઉપાયો, શનિદેવના મળશે ભરપૂર આશીર્વાદ

Shani Amavasya 2025: આ વખતે શનિ અમાસ 23 ઓગસ્ટના રોજ છે. તેનું નામ શનિ અમાસ એટલા માટે છે, કારણ કે તે શનિવારે પડી રહી છે. ભાદ્રપદમાં આવતી આ અમાસને ભાદો અમાસ અને પિઠોરી અમાસ પણ કહેવામાં આવે છે. આ દિવસે પિતૃઓનું તર્પણ જેવા શુભ કાર્યો સંપન્ન કરવામાં આવે છે. બીજી તરફ અમાસના દિવસે સ્નાન-દાનનું વિશેષ મહત્વ છે. આ સાથે જ આ દિવસે માતા તુલસીની પણ ઉપાસના કરવામાં આવે છે. જ્યોતિષીઓના મતે શનિ અમાસના દિવસે તુલસીના મૂળ સાથે સંબંધિત એક નાનો ઉપાય કરવાથી આખા વર્ષની આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે અને શનિદેવના ભરપૂર આશીર્વાદ મળે છે. 

શનિ અમાસે કરો તુલસી સંબંધિત આ ઉપાય

હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ મહત્વ છે અને તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શનિ અમાસની સંધ્યા આરતી પછી ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર તુલસીનું મૂળ લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ એક ઉપાયથી ઘરમાં ધન-સંપત્તિ આવશે અને દેવી લક્ષ્મી ઘરમાંથી ગરીબી દૂર કરશે.

આ પણ વાંચો: 'એણે કોઈ ભૂલ નથી કરી..', સ્ટાર ગુજરાતી ક્રિકેટરને વાઈસ કેપ્ટન પદેથી હટાવાતા ભડક્યો મોહમ્મદ કૈફ

શનિ અમાસના દિવસે તુલસીના મૂળને લાલ કપડામાં લપેટીને ઘરના દરવાજા પર લટકાવી દો અને ઘરની બહાર દીવો પ્રગટાવો, આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનું આગમન થાય છે. ત્યારબાદ માતા લક્ષ્મીને તમારી બધી સમસ્યાઓના ઉકેલ માટે પ્રાર્થના કરો. આ ઉપાય ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરશે અને સકારાત્મકતાનો સંચાર કરશે.