Get The App

શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, એક વર્ષ સુધી સાવધાન રહે આ રાશિના જાતકો

Updated: Jan 6th, 2025

GS TEAM


Google News
Google News
શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, એક વર્ષ સુધી સાવધાન રહે આ રાશિના જાતકો 1 - image


Image: X

Shani Gochar 2025: જ્યોતિષ શાસ્ત્રમાં કર્મદાતા શનિનું રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન ખૂબ જ ખાસ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તમામ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ચાલ ચાલે છે જેને 12 રાશિઓનું ભ્રમણ કરતાં કરતાં સમગ્ર 30 વર્ષ લાગી જાય છે.

શનિ જ્યારે પણ નક્ષત્ર પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ તમામ રાશિઓ પર અને દેશ દુનિયા પર પણ પડે છે. જોકે ડિસેમ્બર 2024ના અંતમાં શનિદેવે ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં પ્રવેશ કર્યો હતો. શનિનું આ નક્ષત્ર પરિવર્તન અમુક રાશિઓ માટે સકારાત્મક પરિવર્તન લાવશે અને અમુક રાશિઓ માટે નકારાત્મક.

કર્ક

શનિનું નક્ષત્ર પરિવર્તન કર્ક રાશિના લોકો માટે અશુભ માનવામાં આવી રહ્યું છે. આરોગ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. કર્ક રાશિની આસપાસનું વાતાવરણ થોડું નકારાત્મક રહેશે. કર્ક રાશિના લોકોને અત્યારે પોતાની ઉપર ધ્યાન આપવું પડશે. લડાઈ-ઝઘડાથી સાવધાન રહેવું પડશે અને કોઈની વાતોમાં ન આવવું.

આ પણ વાંચો: વાસ્તુ ટિપ્સ: ઘરની તિજોરીમાં પૈસાની સાથે ક્યારેય ન મૂકવી જોઈએ આ 5 વસ્તુઓ, વધી જશે ખર્ચા

સિંહ

શનિનું નક્ષત્ર પરિવર્તન સિંહ રાશિના લોકો માટે પણ ખૂબ જ પરિવર્તનકારી માનવામાં આવી રહ્યું છે. આ સમયે આર્થિક હાનિ થઈ શકે છે. લગ્ન થવામાં મોડું થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે.

મકર

શનિના નક્ષત્ર પરિવર્તનથી મકર રાશિના લોકોને પડકારોનો સામનો કરવો પડી શકે છે. સહકર્મચારીઓની સાથે વિવાદ થઈ શકે છે. નાણાકીય સંકટ આવી શકે છે. તેથી દરેક કાર્ય યોગ્ય યોજના સાથે કરો.

Tags :