Get The App

રામનવમી 2026: ગજકેસરી-નવપંચમ રાજયોગનો અદભૂત સંયોગ, મેષ સહિત આ 3 રાશિઓને મળશે લાભ

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
ram-navami-2026


Ram Navami 2026 Horoscope: પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં આ તિથિ બે દિવસ આવતી હોવાથી લોકોમાં રામનવમીની ચોક્કસ તારીખને લઈને દ્વિધા છે. જોકે, ધાર્મિક માન્યતા મુજબ ભગવાન રામનો જન્મ બપોરે થયો હતો, તેથી 26 માર્ચ 2026ના રોજ રામનવમી ઉજવવી વધુ શુભ માનવામાં આવે છે. બીજી તરફ, ઉદયાતિથિને માનનારા કેટલાક લોકો 27 માર્ચે પણ રામનવમીની ઉજવણી કરશે. આ વર્ષે રામનવમી પર અનેક ખાસ જ્યોતિષીય યોગો બની રહ્યા છે, જે આ દિવસનું મહત્ત્વ અનેકગણું વધારી દે છે.

રામનવમી પર ગજકેસરી અને નવપંચમ રાજયોગનું નિર્માણ

આ રામનવમીએ ગ્રહોની સ્થિતિ અત્યંત વિશેષ રહેવાની છે. શુક્ર ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે ગુરુ અને ચંદ્રની યુતિથી 'ગજકેસરી યોગ' રચાશે. આ ઉપરાંત ગુરુ અને મંગળના સંયોગથી 'નવપંચમ રાજયોગ' અને કેટલીક રાશિઓમાં 'ત્રિગ્રહી યોગ'નું પણ નિર્માણ થઈ રહ્યું છે. આ શુભ યોગોની અસર વિવિધ રાશિઓ પર જોવા મળશે, જેમાં મેષ, વૃષભ અને કન્યા રાશિના જાતકો માટે આ સમય સૌથી વધુ લાભદાયી સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓમાંથી રાહત મળશે, આર્થિક સ્થિતિ મજબૂત થશે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ બનશે. જ્યારે મિથુન, સિંહ, તુલા, મકર અને કુંભ રાશિ માટે પણ સકારાત્મક પરિણામો જોવા મળશે. જોકે, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી પડશે.

આ પણ વાંચો: મીન રાશિમાં દુર્લભ 'ત્રિગ્રહી યોગ'! આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે; જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

રામનવમી પર આ સરળ ઉપાયોથી દૂર થશે સંકટ

ભગવાન રામની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે કેટલાક સરળ ઉપાયો પણ કરી શકાય છે. રામનવમીના પવિત્ર અવસરે રામચરિતમાનસના બાલકાંડનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન રામને તુલસીના પાનનો હાર અર્પણ કરવાથી અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સકારાત્મકતાનો સંચાર થાય છે. ભક્તો આ દિવસે વ્રત રાખીને અને રામ નામના જપ કરીને પ્રભુની આરાધના કરી શકે છે.

રામનવમી 2026: ગજકેસરી-નવપંચમ રાજયોગનો અદભૂત સંયોગ, મેષ સહિત આ 3 રાશિઓને મળશે લાભ 2 - image