Get The App

શનિ રાશિમાં રાહુનું ગોચર 2 રાશિના જીવનમાં સંઘર્ષની સ્થિતિ પેદા કરશે

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
શનિ રાશિમાં રાહુનું ગોચર 2 રાશિના જીવનમાં સંઘર્ષની સ્થિતિ પેદા કરશે 1 - image

Rahu Gochar 2026: નવું વર્ષ 2026 રાહુની સ્થિતિ અનુસાર બે રાશિઓ માટે ખૂબ જ મુશ્કેલ રહેશે. જ્યોતિષ ગણતરી મુજબ રાહુ 2026માં શનિની રાશિમાં ગોચર કરશે. રાહુ 5 ડિસેમ્બર, 2026ના રોજ શનિની રાશિ કુંભમાંથી નીકળીને શનિના સ્વામિત્વ વાળી મકર રાશિમાં ગોચર કરશે. જ્યોતિષીઓએ આ ગોચરને બે રાશિઓ માટે કષ્ટકારી ગણાવ્યું છે. આ રાશિના જાતકોને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. ખર્ચમાં અણધાર્યો વધારો તેમના બજેટને બગાડી શકે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.

મકર રાશિ

તમારે નોકરી-વ્યવસાયના મામલે ખૂબ જ સાવધાનીથી નિર્ણયો લેવાની જરૂર પડશે. સહકર્મચારીઓ અથવા સીનિયર્સ સાથે સંઘર્ષ અને મતભેદની સ્થિતિ બની શકે છે. હતાશા વધશે. મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. દેવું, લોન અને રોકાણોનો સામનો કરતી વખતે કાળજીપૂર્વક ધ્યાન આપવાની જરૂર પડશે. શોર્ટકટથી પૈસાની કમાણી કરવી તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. જુગાર, સટ્ટો રમવાનું કે શેરબજારમાં તમારું નસીબ અજમાવવાનું ટાળો. કોઈપણ રોકાણ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને ખરાબ સંગતથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોની સ્થિતિ પણ મકર રાશિના જાતકો જેવી જ રહેશે. કુંભ રાશિમાં રાહુનો પ્રભાવ ગુસ્સો, ખોટા નિર્ણયો અને ઉતાવળને પ્રોત્સાહન આપશે. આળસ, ગુસ્સો, ઘમંડ અને ખરાબ વાણી તમારા સૌથી મોટા દુશ્મનો હશે. આ ખરાબ ગુણો તમને મોટું નુકસાન કરાવશે. આ દરમિયાન તમે વ્યાવસાયિક મોરચે દબાણ અનુભવી શકો છો. આર્થિક અને વ્યક્તિગત મોરચે પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ ગોચરની અસર તમારા લગ્ન જીવન પર પણ પડશે. પાર્ટનર સાથે દલીલો, વિવાદો અને તકરાર વધી શકે છે. ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખવી તમારા માટે ખૂબ જ પડકારજનક રહેશે.

આ પણ વાંચો: લંડનમાં દેખાવો કરતાં હિન્દુઓ સામે ખાલિસ્તાનીઓ રસ્તે ઉતર્યા, બાંગ્લાદેશને કર્યું સમર્થન

ઉપાય

જે જાતકોને રાહુ ખૂબ સમસ્યા આપી રહ્યો છે તેમણે કેટલાક ખાસ ઉપાયો અજમાવવા જોઈએ. જ્યોતિષીઓની સલાહ પ્રમાણે રાહુ સાથે સબંધિત રત્ન ધારણ કરો. રાહુ શનિ રાશિમાં રહેશે તેથી દાન-પુણ્ય અને ગરીબોને મદદ કરવા જેવા સારા કામ કરવાથી તમારું કલ્યાણ થઈ શકે છે. દર સોમવારે શિવલિંગ પર પાણી અને કાળા તલ અર્પણ કરો. ત્યારબાદ "ૐ રાં રહેવે નમઃ" મંત્રનો 108 વાર જાપ કરો. તમારા માર્ગમાં આવતા દરેક અવરોધો દૂર થઈ જશે.